ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું
Published on: 17th August, 2026

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. નવી ટીમમાં ગુજરાતના ચાર મહત્વના ચહેરાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે, જે 2020 પછી પ્રથમ વખત બન્યું છે. ખાસ કરીને, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી/સચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ડો. હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી/સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.