રાજકોટ કર્મચારી એકતા મંડળ દ્વારા કાલે નગર સેવકોનો યોજાશે ભવ્ય સન્માન સમારોહ
રાજકોટ કર્મચારી એકતા મંડળ દ્વારા કાલે નગર સેવકોનો યોજાશે ભવ્ય સન્માન સમારોહ
Published on: 17th August, 2026

રાજકોટ શહેરમાં પ્રથમવાર, અખિલ ગુજરાત કર્મચારી મંડળ અને કર્મચારી એકતા મંડળ દ્વારા 72 નગરસેવકોના સન્માન સમારોહનું આયોજન તા. 18, મંગળવારે ડો. આંબેદકર ભવન સેન્ટ્રલ ઝોન ખાતે કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કોઈપણ પક્ષાપક્ષી વગર તમામ નગરસેવકો એક મંચ પર ઉપસ્થિત રહેશે. કોર્પોરેટર અને કર્મચારીઓ વચ્ચે સુમેળ સાધવાનો, એકતા સ્થાપિત કરી રાજકોટના વિકાસને વેગ આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. મેયર ડો. નેહલભાઈ શુક્લ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.