GSRTCનો મોટો નિર્ણય: રક્ષાબંધન નિમિત્તે 6,500 એક્સ્ટ્રા બસો
GSRTCનો મોટો નિર્ણય: રક્ષાબંધન નિમિત્તે 6,500 એક્સ્ટ્રા બસો
Published on: 20th August, 2026

રક્ષાબંધન દરમિયાન મુસાફરોને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 6,500 એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય શહેરો અને તીર્થધામો જેવા કે પાવાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા, પાલનપુર, નડિયાદ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડના રૂટ પર વિશેષ સંચાલન કરાશે. મુસાફરો સરળતાથી પહોંચી શકે તે માટે એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો, આ વર્ષે સંખ્યા વધારી 6,500 કરાઈ છે.