અમદાવાદમાં જ્વેલર્સને 4.45 કરોડનો ચૂનો લગાવનાર અનિલ વિભાણી ઝડપાયો
અમદાવાદમાં જ્વેલર્સને 4.45 કરોડનો ચૂનો લગાવનાર અનિલ વિભાણી ઝડપાયો
Published on: 20th August, 2026

અમદાવાદમાં EoW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) દ્વારા રૂપિયા 4.45 કરોડના હીરા-સોનાના દાગીનાની છેતરપિંડી આચરવાના આરોપમાં મહાઠગ અનિલ વિભાણી અને તેના પરિવારની ધરપકડ કરવામાં આવી છે. આખો પરિવાર શોરૂમમાં જઈને પોતાની વાકછટા અને વૈભવી જીવનશૈલીનો દેખાડો કરી વેપારીઓનો વિશ્વાસ જીતી લેતો હતો. અગાઉ પણ અનિલ વિભાણી વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ 4 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને ગુનાની સઘન તપાસ ચાલી રહી છે.