સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
Published on: 20th August, 2026

શ્રાવણ માસમાં પૂજા-અર્ચના અને દીપ પ્રાગટ્ય માટે ઘીની માંગ વધતાં, બજારમાં ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નામે શંકાસ્પદ પ્રોડક્ટ્સ વેચાવા લાગી છે. આ પ્રોડક્ટ્સ, જે લગભગ 200-220 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહી છે, તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક પેકિંગ પર ‘માનવ વપરાશ માટે નથી’ તેવી નોંધ હોવા છતાં, ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળતી નથી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને આવી સસ્તી અને શંકાસ્પદ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા અને ભેળસેળિયા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી છે.