ભાવનગર નકલી વિદેશી દારૂ કેસમાં 6થી વધુના મોત આરોપી પોતે પણ બન્યો શિકાર!
ભાવનગર નકલી વિદેશી દારૂ કેસમાં 6થી વધુના મોત આરોપી પોતે પણ બન્યો શિકાર!
Published on: 20th August, 2026

ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનામાં પોલીસે ઝેરી દારૂના ઉત્પાદનનો સ્વીકાર કર્યો છે. આ દારૂ ભાવનગરમાં જ મિથેનોલ અને એસેન્સ જેવા કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ નકલી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા છે અને 21 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. બનાવ અંગે 21 લોકો સામે FIR નોંધવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર રઈસની મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.