ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
Published on: 20th August, 2026

ભાવનગરના ઝેરી દારૂકાંડમાં 6થી વધુ લોકોના મોત અને 21 લોકોની ગંભીર હાલત બાદ ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ સોંપી છે. જોકે, FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ આ કેસને 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ વેચાતો હોય, તો તે પ્રોહિબિશન ખાતા અને સ્થાનિક પોલીસની મોટી નિષ્ફળતા છતી કરે છે. આ બનાવને 'લઠ્ઠાકાંડ' તરીકે દર્શાવવા પાછળ પોલીસ તંત્રની કોઈ મોટી ચાલ તો નથી ને, તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.