જામનગરના જોડીયાના વાવડી ગામે વીજ લાઈન સામે 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ
જામનગરના જોડીયાના વાવડી ગામે વીજ લાઈન સામે 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ
Published on: 20th August, 2026

જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ થાંભલા ઊભા કરવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગામના સરપંચ સહિત સાત ખેડૂતોએ ‘કિસાન સત્યાગ્રહ છાવણી’માં અન્નત્યાગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ ખેડૂતોને આસપાસના લીંબુડા, આણદા, ભાદરા, કેશીયા, રામપર જેવા અનેક ગામોના ખેડૂતોનો પણ ટેકો મળ્યો છે. જ્યાં સુધી વીજ કંપનીઓ અને તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ આ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે.