અમદાવાદ મેટ્રો કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદ મેટ્રો કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
Published on: 20th August, 2026

અમદાવાદના મેટ્રો કોર્ટ પરિસરમાં ભરણપોષણના કેસથી કંટાળી 54 વર્ષીય પરાગભાઈ શાહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ગુરુવારે સવારે 11 વાગે, તેમણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હતી. સદનસીબે, ત્યાં હાજર એક નોટરીએ પાણી છાંટી આગ બુઝાવી દીધી. આ ઘટનાથી કોર્ટમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત પરાગભાઈ શાહને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.