વલસાડના કેળવણી ગામમાં વિકાસની પોકળ વાતો
વલસાડના કેળવણી ગામમાં વિકાસની પોકળ વાતો
Published on: 12th September, 2026

વલસાડના ધરમપુર તાલુકાના કેળવણી ગામમાં વિકાસના સરકારી દાવાઓ પોકળ સાબિત થયા છે. ગામમાં સ્મશાનની સુવિધા નથી અને ખુલ્લામાં અંતિમ સંસ્કાર થાય છે, જ્યાં પહોંચવા માટે પાકો માર્ગ પણ નથી. લાવરી નદીનો કોઝવે વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ પરિસ્થિતિમાં, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જતી વખતે તે નદીમાં ફસાઈ જતાં ગ્રામજનોની મુશ્કેલીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. વિકાસની મોટી વાતો વચ્ચે આદિવાસી વિસ્તારની મૂળભૂત સુવિધાઓનો અભાવ ચિંતાજનક છે.