ગોધરામાં મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
ગોધરામાં મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Published on: 18th June, 2026

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ, યુવા એસોસિએશન અને મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશાળ પદયાત્રા-રેલીનું આયોજન કરાયું હતું, જેનું પ્રસ્થાન સાયન્સ કોલેજ ગોધરાથી થયું. ન્યૂઇરા હાઈસ્કૂલ ખાતે આવેલી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બેન્ડ સાથેનો સજાવેલો ટેબ્લો સૌનું આકર્ષણ બન્યો હતો. રાજપૂત અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો.