દાહોદમાં બે જૈન આચાર્ય ભગવંતોનું ઐતિહાસિક મિલન
દાહોદમાં બે જૈન આચાર્ય ભગવંતોનું ઐતિહાસિક મિલન
Published on: 18th June, 2026

દાહોદ શહેરમાં જૈન સમાજના બે પૂજ્ય ગુરુ ભગવંતો, આચાર્યશ્રી 108 સુનિલ સાગરજી મહારાજ અને આચાર્યશ્રી 108 પ્રસન્ન સાગરજી મહારાજનું સ્ટેશન રોડ જૈન નસીયાજી ખાતે ઐતિહાસિક મિલન યોજાયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં બંને ગુરુ ભગવંતોએ એકબીજાને ગળે મળતાં ભાવભર્યો માહોલ સર્જાયો હતો. બેન્ડવાજા અને પરંપરાગત વેશભૂષા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરીજનોએ આ ક્ષણોને મોબાઇલમાં કેદ કરી હતી. બાદમાં બંને ગુરુ ભગવંતોના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીર શેરી પુષ્પદંત નિલય પહોંચી હતી.