ખેતીમાં નવી ક્રાંતિ: 17 વીઘામાં 5 પ્રકારના તરબૂચ
ખેતીમાં નવી ક્રાંતિ: 17 વીઘામાં 5 પ્રકારના તરબૂચ
Published on: 23rd April, 2026

ભાવનગર જિલ્લામાં હવે ખેતીની તસવીર બદલાઈ રહી છે. જેસર તાલુકાના જુનાપાદર ગામના પ્રગતિશીલ ખેડૂત તખતસિંહ ગોહિલે પરંપરાગત પાકોને તિલાંજલિ આપી છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચની ખેતીમાં સફળતાના શિખરો સર કર્યા છે. આ વર્ષે તેમણે 17 વીઘા જમીનમાં 5 અલગ-અલગ જાતના તરબૂચ વાવીને માત્ર 80 થી 90 દિવસમાં મોટો નફો મેળવ્યો છે. પ્રથમ વર્ષે 10 વીઘામાં વાવેતર કર્યું હતું, તેમાંથી સારું ઉત્પાદન મળતા બીજા વર્ષે 12 વીઘાનું વાવેતર કર્યું હતું અને આ વર્ષે તેઓએ કુલ 17 વીઘા જેટલી જમીનમાં અલગ અલગ પાંચ પ્રકારના તરબૂચનું વાવેતર કર્યું હતું.