Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
Trending icon મારું ગુજરાત icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ icon જ્યોતિષ
  1. News
  2. News Kida
ભારતીય પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડની સંપત્તિ ED એ જપ્ત કરી
ભારતીય પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડની સંપત્તિ ED એ જપ્ત કરી

સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે ED એ સુરેશ રૈના અને શિખર ધવન બંનેની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ, સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ED એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને સમન્સ પાઠવ્યું હતું. ED એન્ડોર્સમેન્ટ ડીલ દ્વારા 1xBet સાથે ધવનના સંભવિત જોડાણોની તપાસ કરી રહી છે. આ જ કેસમાં ED દ્વારા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાની પણ આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Published on: 06th November, 2025
ભારતીય પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડની સંપત્તિ ED એ જપ્ત કરી
Published on: 06th November, 2025
સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે ED એ સુરેશ રૈના અને શિખર ધવન બંનેની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ, સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ED એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને સમન્સ પાઠવ્યું હતું. ED એન્ડોર્સમેન્ટ ડીલ દ્વારા 1xBet સાથે ધવનના સંભવિત જોડાણોની તપાસ કરી રહી છે. આ જ કેસમાં ED દ્વારા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાની પણ આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
કેન્દ્રમાં મોદી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે બિહારમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કર્યો
કેન્દ્રમાં મોદી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે બિહારમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કર્યો

ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય વીજળી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી આર.કે સિંહે બિહાર રાજ્યમાં વીજળી કૌભાંડ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભૂતપૂર્વ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં વીજળી વિભાગમાં 62,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આર.કે.સિંહ ભૂતપૂર્વ IAS અધિકારી રહી ચૂક્યા છે. વર્ષ 1990માં L.K.અડવાણીની ધરપકડનો આદેશ એમણે આપ્યો હતો. આર.કે. સિંહના કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન 26/11ના મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબ અને સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.

Published on: 06th November, 2025
કેન્દ્રમાં મોદી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે બિહારમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કર્યો
Published on: 06th November, 2025
ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય વીજળી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી આર.કે સિંહે બિહાર રાજ્યમાં વીજળી કૌભાંડ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભૂતપૂર્વ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં વીજળી વિભાગમાં 62,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આર.કે.સિંહ ભૂતપૂર્વ IAS અધિકારી રહી ચૂક્યા છે. વર્ષ 1990માં L.K.અડવાણીની ધરપકડનો આદેશ એમણે આપ્યો હતો. આર.કે. સિંહના કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન 26/11ના મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબ અને સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.
રાહુલ ગાંધીનો SIR અને મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપો અંગે મોટો ખુલાસો
રાહુલ ગાંધીનો SIR અને મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપો અંગે મોટો ખુલાસો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે બપોરે ૧૨ વાગ્યે દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી. જેમાં રાહુલ ગાંધીએ એક બ્રાઝિલિયન છોકરીનો ફોટો પણ બતાવ્યો. કહ્યું કે તે હરિયાણાની મતદાર યાદીમાં છે. તેણી ક્યારેક સ્વીટી, ક્યારેક સીમા, તો ક્યારેક સરસ્વતી નામથી મતદાન કરતી હતી. રાહુલ ગાંધીએ GenZ & Youth ને અપીલ કરી છે કે, તેઓ સત્ય- અહિંસા સાથે લોકતંત્રના પાવર ને પુન: સ્થાપિત કરે.

Published on: 05th November, 2025
રાહુલ ગાંધીનો SIR અને મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપો અંગે મોટો ખુલાસો
Published on: 05th November, 2025
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે બપોરે ૧૨ વાગ્યે દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી. જેમાં રાહુલ ગાંધીએ એક બ્રાઝિલિયન છોકરીનો ફોટો પણ બતાવ્યો. કહ્યું કે તે હરિયાણાની મતદાર યાદીમાં છે. તેણી ક્યારેક સ્વીટી, ક્યારેક સીમા, તો ક્યારેક સરસ્વતી નામથી મતદાન કરતી હતી. રાહુલ ગાંધીએ GenZ & Youth ને અપીલ કરી છે કે, તેઓ સત્ય- અહિંસા સાથે લોકતંત્રના પાવર ને પુન: સ્થાપિત કરે.
મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન
મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન

ભારતની છોકરીઓએ આખરે 47 વર્ષના લાંબી રાહ પછી ઇતિહાસ રચી દીધો. ઈન્ડિયા વુમન્સે રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને 52 રનથી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી. ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ફિફ્ટી ફટકારી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Published on: 03rd November, 2025
મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન
Published on: 03rd November, 2025
ભારતની છોકરીઓએ આખરે 47 વર્ષના લાંબી રાહ પછી ઇતિહાસ રચી દીધો. ઈન્ડિયા વુમન્સે રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને 52 રનથી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી. ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ફિફ્ટી ફટકારી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ
સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ

લદ્દાખ સ્થિત આબોહવા કાર્યકર્તા અને નવીનતાવાદી સોનમ વાંગચુકનો સમાવેશ TIME મેગેઝિનના "2025ના 100 સૌથી પ્રભાવશાળી આબોહવા નેતાઓ" ની યાદીમાં કરવામાં આવ્યો હતો. મેગેઝિને તેની પ્રોફાઇલમાં વાંગચુકને એક એન્જિનિયર, શિક્ષક અને સમાજ સુધારક તરીકે વર્ણવ્યા છે જેમણે હિમાલય ક્ષેત્રમાં ટકાઉ નવીનતા અને પર્યાવરણીય સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ગયા મહિને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી દરમિયાન ધરપકડ કરાયેલા વાંગચુક એક દાયકાથી વધુ સમયથી પરંપરાગત ઇકોલોજીકલ પ્રથાઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને જોડવા માટે કામ કરી રહ્યા છે, જેમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીની અછતને પહોંચી વળવા માટે કૃત્રિમ હિમનદીઓનું નિર્માણ પણ સામેલ છે. સોનમ વાંગચુક છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ છે.

Published on: 01st November, 2025
સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ
Published on: 01st November, 2025
લદ્દાખ સ્થિત આબોહવા કાર્યકર્તા અને નવીનતાવાદી સોનમ વાંગચુકનો સમાવેશ TIME મેગેઝિનના "2025ના 100 સૌથી પ્રભાવશાળી આબોહવા નેતાઓ" ની યાદીમાં કરવામાં આવ્યો હતો. મેગેઝિને તેની પ્રોફાઇલમાં વાંગચુકને એક એન્જિનિયર, શિક્ષક અને સમાજ સુધારક તરીકે વર્ણવ્યા છે જેમણે હિમાલય ક્ષેત્રમાં ટકાઉ નવીનતા અને પર્યાવરણીય સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ગયા મહિને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી દરમિયાન ધરપકડ કરાયેલા વાંગચુક એક દાયકાથી વધુ સમયથી પરંપરાગત ઇકોલોજીકલ પ્રથાઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને જોડવા માટે કામ કરી રહ્યા છે, જેમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીની અછતને પહોંચી વળવા માટે કૃત્રિમ હિમનદીઓનું નિર્માણ પણ સામેલ છે. સોનમ વાંગચુક છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ છે.
કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની શરતોને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની શરતોને મંજૂરી આપી

8માં પગાર પંચની રચના કરવામાં આવશે અને તેની રચનાની તારીખથી ૧૮ મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરવામાં આવશે. આ પછી, નવા પગાર ધોરણો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ કરી શકાશે. ભૂતકાળના વલણોના આધારે, ભલામણોને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે 2028 સુધી રાહ જોવી પડી શકે છે. આનાથી 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.

Published on: 28th October, 2025
કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની શરતોને મંજૂરી આપી
Published on: 28th October, 2025
8માં પગાર પંચની રચના કરવામાં આવશે અને તેની રચનાની તારીખથી ૧૮ મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરવામાં આવશે. આ પછી, નવા પગાર ધોરણો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ કરી શકાશે. ભૂતકાળના વલણોના આધારે, ભલામણોને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે 2028 સુધી રાહ જોવી પડી શકે છે. આનાથી 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક કરવામાં આવી.
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક કરવામાં આવી.

ગુજરાત સરકારે વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસને સરકારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર જાહેરનામા અનુસાર, મનોજ કુમાર દાસ (IAS, 1990 બેચ), જેઓ હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, તેમની બદલી કરવામાં આવી છે અને તેમને 31 ઓક્ટોબર, 2025 (બપોર પછી) થી મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીના સ્થાન લેશે.

Published on: 28th October, 2025
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક કરવામાં આવી.
Published on: 28th October, 2025
ગુજરાત સરકારે વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસને સરકારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર જાહેરનામા અનુસાર, મનોજ કુમાર દાસ (IAS, 1990 બેચ), જેઓ હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, તેમની બદલી કરવામાં આવી છે અને તેમને 31 ઓક્ટોબર, 2025 (બપોર પછી) થી મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીના સ્થાન લેશે.
ગુજરાત સરકાર કેબિનેટનું વિસ્તરણ
ગુજરાત સરકાર કેબિનેટનું વિસ્તરણ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી. ગુજરાત રાજ્યના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓમાં મનીષા વકીલ, પ્રફુલ પાનસેરિય, ઈશ્વર ઠાકોર નો સમાવેશ. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓમાં જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડીયા, નરેશ પટેલ, પ્રદ્યુમન વાઝા, રમણ સોલંકી નો સમાવેશ. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું નહીં આપ્યા હોવાથી શપથ નહીં લે. ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા જેમાં રમેશ કટાર, દર્શના વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવિણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજય મહીડા, રિવાબા જાડેજા, પૂર્વ IPS પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર નો સમાવેશ.

Published on: 17th October, 2025
ગુજરાત સરકાર કેબિનેટનું વિસ્તરણ
Published on: 17th October, 2025
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી. ગુજરાત રાજ્યના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓમાં મનીષા વકીલ, પ્રફુલ પાનસેરિય, ઈશ્વર ઠાકોર નો સમાવેશ. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓમાં જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડીયા, નરેશ પટેલ, પ્રદ્યુમન વાઝા, રમણ સોલંકી નો સમાવેશ. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું નહીં આપ્યા હોવાથી શપથ નહીં લે. ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા જેમાં રમેશ કટાર, દર્શના વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવિણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજય મહીડા, રિવાબા જાડેજા, પૂર્વ IPS પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર નો સમાવેશ.
નવા મંત્રીમંડળમાં ક્યાં-ક્યાં નેતાઓ લગભગ નક્કી?
નવા મંત્રીમંડળમાં ક્યાં-ક્યાં નેતાઓ લગભગ નક્કી?

નવા મંત્રીમંડળ માં જયેશભાઈ રાદડિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, હીરાભાઈ સોલંકી, રિવાબા જાડેજા, સંગીતાબેન પાટીલ, અનિરૂદ્ધભાઈ દવે, અલ્પેશભાઈ ઠાકોર અને સી.જે. ચાવડા નું નામ લગભગ નક્કી. જુના મંત્રીમંડળ માંથી હર્ષભાઈ સંઘવી અને ઋષિકેશ પટેલ અને મુળુભાઈ બેરા થઈ શકે છે રિપીટ.

Published on: 16th October, 2025
નવા મંત્રીમંડળમાં ક્યાં-ક્યાં નેતાઓ લગભગ નક્કી?
Published on: 16th October, 2025
નવા મંત્રીમંડળ માં જયેશભાઈ રાદડિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, હીરાભાઈ સોલંકી, રિવાબા જાડેજા, સંગીતાબેન પાટીલ, અનિરૂદ્ધભાઈ દવે, અલ્પેશભાઈ ઠાકોર અને સી.જે. ચાવડા નું નામ લગભગ નક્કી. જુના મંત્રીમંડળ માંથી હર્ષભાઈ સંઘવી અને ઋષિકેશ પટેલ અને મુળુભાઈ બેરા થઈ શકે છે રિપીટ.
શું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી રહેવા નથી માંગતા??
શું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી રહેવા નથી માંગતા??

ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પણ બદલવાની પૂરેપૂરી તૈયારીઓ આરંભી દેવાઈ એવું લાગે છે. અત્યારે કેન્દ્રીય મંત્રીઓમાં અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ, જેપી નડ્ડા અને સુનિલ બંસલ જેવા નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગુજરાતના મોસ્ટ સિનિયર પોપ્યુલર પૂર્વ IAS અને લેફ્ટન્ટ ગવર્નર કૈલાસનાથને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈમાં ?? સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોવડી મંડળ આગળ પણ કહી ચૂક્યા છે કે, હવે એમને મુખ્યમંત્રી પદે નથી રહેવું.

Published on: 16th October, 2025
શું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી રહેવા નથી માંગતા??
Published on: 16th October, 2025
ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પણ બદલવાની પૂરેપૂરી તૈયારીઓ આરંભી દેવાઈ એવું લાગે છે. અત્યારે કેન્દ્રીય મંત્રીઓમાં અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ, જેપી નડ્ડા અને સુનિલ બંસલ જેવા નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગુજરાતના મોસ્ટ સિનિયર પોપ્યુલર પૂર્વ IAS અને લેફ્ટન્ટ ગવર્નર કૈલાસનાથને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈમાં ?? સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોવડી મંડળ આગળ પણ કહી ચૂક્યા છે કે, હવે એમને મુખ્યમંત્રી પદે નથી રહેવું.
નવા મંત્રીમંડળને લઈ ને મહત્વના સમાચાર
નવા મંત્રીમંડળને લઈ ને મહત્વના સમાચાર

ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓની શપથવિધિ તા:૧૭ ઓક્ટોબરને શુક્રવારે સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેને બનવું છે અથવા ભૂતકાળમાં ઈચ્છાઓ વ્યક્ત કરી ચૂક્યા છે, એ બનવાના નથી.(80+ સંભવના) જેમણે ઈચ્છાઓ વ્યક્ત કરી નથી અથવા ક્યાંય પિક્ચરમાં આવ્યા નથી ને જાતિ આધારિત મજબૂત ગણિત લઈને બેઠા છે એમનો નંબર આવવાનો છે.(90+ સંભાવના).

Published on: 16th October, 2025
નવા મંત્રીમંડળને લઈ ને મહત્વના સમાચાર
Published on: 16th October, 2025
ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓની શપથવિધિ તા:૧૭ ઓક્ટોબરને શુક્રવારે સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેને બનવું છે અથવા ભૂતકાળમાં ઈચ્છાઓ વ્યક્ત કરી ચૂક્યા છે, એ બનવાના નથી.(80+ સંભવના) જેમણે ઈચ્છાઓ વ્યક્ત કરી નથી અથવા ક્યાંય પિક્ચરમાં આવ્યા નથી ને જાતિ આધારિત મજબૂત ગણિત લઈને બેઠા છે એમનો નંબર આવવાનો છે.(90+ સંભાવના).
2025 ના ભારતના સૌથી ધનિક Tech અબજોપતિ કોણ છે?
2025 ના ભારતના સૌથી ધનિક Tech અબજોપતિ કોણ છે?

Forbes India બિલિયોનેર્સ લિસ્ટ 2025 મુજબ, HCL ના સહ-સ્થાપક શિવ નાદર 33.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક ટેક અબજોપતિ છે. Wiproના સ્થાપક ચેરમેન અઝીમ પ્રેમજી 10.8 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે, ત્યારબાદ Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુ (6 બિલિયન ડોલર), infosysના સહ-સ્થાપકો નારાયણ મૂર્તિ (4.6 બિલિયન ડોલર) અને સેનાપથી ગોપાલકૃષ્ણન (3.7 બિલિયન ડોલર) છે.

Published on: 15th October, 2025
2025 ના ભારતના સૌથી ધનિક Tech અબજોપતિ કોણ છે?
Published on: 15th October, 2025
Forbes India બિલિયોનેર્સ લિસ્ટ 2025 મુજબ, HCL ના સહ-સ્થાપક શિવ નાદર 33.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક ટેક અબજોપતિ છે. Wiproના સ્થાપક ચેરમેન અઝીમ પ્રેમજી 10.8 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે, ત્યારબાદ Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુ (6 બિલિયન ડોલર), infosysના સહ-સ્થાપકો નારાયણ મૂર્તિ (4.6 બિલિયન ડોલર) અને સેનાપથી ગોપાલકૃષ્ણન (3.7 બિલિયન ડોલર) છે.
ભારતના કયા શહેરોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા જોવા મળી રહી છે?
ભારતના કયા શહેરોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા જોવા મળી રહી છે?

Central Pollution Control Board એ મંગળવારે ભારતીય શહેરોમાં વાયુ પ્રદૂષણ સ્તરની યાદી બહાર પાડી. ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ ૨૬૧ ના નબળા AQI સાથે ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ત્યારબાદ યુપીનું નોઈડા (૨૫૧), હરિયાણાનું બહાદુરગઢ (૨૨૯), હરિયાણાનું રોહતક (૨૨૧), હરિયાણાનું ગુરુગ્રામ (૨૧૬), દિલ્હી (૨૧૧) અને યુપીનું હાપુર (૨૦૪) આવે છે.

Published on: 15th October, 2025
ભારતના કયા શહેરોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા જોવા મળી રહી છે?
Published on: 15th October, 2025
Central Pollution Control Board એ મંગળવારે ભારતીય શહેરોમાં વાયુ પ્રદૂષણ સ્તરની યાદી બહાર પાડી. ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ ૨૬૧ ના નબળા AQI સાથે ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ત્યારબાદ યુપીનું નોઈડા (૨૫૧), હરિયાણાનું બહાદુરગઢ (૨૨૯), હરિયાણાનું રોહતક (૨૨૧), હરિયાણાનું ગુરુગ્રામ (૨૧૬), દિલ્હી (૨૧૧) અને યુપીનું હાપુર (૨૦૪) આવે છે.
વિશ્વના ટોચના 5 સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા છે?
વિશ્વના ટોચના 5 સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા છે?

Henley & Partners'ની વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની નવીનતમ યાદી અનુસાર, સિંગાપોર 193 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે પ્રથમ ક્રમે છે. તે પછી દક્ષિણ કોરિયા અને જાપાન આવે છે. જર્મની, ઇટાલી, લક્ઝમબર્ગ, સ્પેન અને સ્વિટ્ઝર્લૅન્ડ સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ સંયુક્ત રીતે પાંચમા ક્રમે છે.

Published on: 15th October, 2025
વિશ્વના ટોચના 5 સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા છે?
Published on: 15th October, 2025
Henley & Partners'ની વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની નવીનતમ યાદી અનુસાર, સિંગાપોર 193 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે પ્રથમ ક્રમે છે. તે પછી દક્ષિણ કોરિયા અને જાપાન આવે છે. જર્મની, ઇટાલી, લક્ઝમબર્ગ, સ્પેન અને સ્વિટ્ઝર્લૅન્ડ સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ સંયુક્ત રીતે પાંચમા ક્રમે છે.
રાજકોટ રેન્જનો હવાલો નિર્લિપ્ત રાયને સોંપશે?
રાજકોટ રેન્જનો હવાલો નિર્લિપ્ત રાયને સોંપશે?

રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ગોંડલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન ઉજાગર થયા બાદ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રૂરલના SP તરીકે વિજયસિંહ ગુર્જર નામના કડક અમલદારની નિમણૂક કરી છે. હવે રાજકોટ રેન્જનો હવાલો હિંમતવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયને સોપવા અંગે વિચારણા ચાલી રહ્યાનું જાણવા મળે છે અને કદાચ અમરેલી બાદ સૌરાષ્ટ્રમાં બીજીવાર રાય પોસ્ટિંગ મેળવશે એવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલનું નામ પહેલેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે કુખ્યાત છે. ત્યાં તાજેતરમાં એક પછી એક બની રહેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પાડ્યા છે ત્યારે રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવા માટે એક પછી એક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

Published on: 11th October, 2025
રાજકોટ રેન્જનો હવાલો નિર્લિપ્ત રાયને સોંપશે?
Published on: 11th October, 2025
રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ગોંડલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન ઉજાગર થયા બાદ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રૂરલના SP તરીકે વિજયસિંહ ગુર્જર નામના કડક અમલદારની નિમણૂક કરી છે. હવે રાજકોટ રેન્જનો હવાલો હિંમતવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયને સોપવા અંગે વિચારણા ચાલી રહ્યાનું જાણવા મળે છે અને કદાચ અમરેલી બાદ સૌરાષ્ટ્રમાં બીજીવાર રાય પોસ્ટિંગ મેળવશે એવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલનું નામ પહેલેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે કુખ્યાત છે. ત્યાં તાજેતરમાં એક પછી એક બની રહેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પાડ્યા છે ત્યારે રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવા માટે એક પછી એક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી.
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી.

હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢના સેક્ટર ૧૧ સ્થિત તેમના નિવાસસ્થાન (ઘર નંબર ૧૧૬) પર પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી. વાય. પૂરણ કુમાર 2001 બેચના હરિયાણા કેડરના IPS અધિકારી હતા. વાય. પૂરણ કુમારના પત્ની, અમનીત પી. કુમાર, એક IAS અધિકારી છે. તેઓ 5 ઓક્ટોબરે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય અધિકારીઓ સાથે જાપાન ગયા હતા. તેઓ કાલે સાંજે ભારત પરત ફરશે.

Published on: 07th October, 2025
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી.
Published on: 07th October, 2025
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢના સેક્ટર ૧૧ સ્થિત તેમના નિવાસસ્થાન (ઘર નંબર ૧૧૬) પર પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી. વાય. પૂરણ કુમાર 2001 બેચના હરિયાણા કેડરના IPS અધિકારી હતા. વાય. પૂરણ કુમારના પત્ની, અમનીત પી. કુમાર, એક IAS અધિકારી છે. તેઓ 5 ઓક્ટોબરે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય અધિકારીઓ સાથે જાપાન ગયા હતા. તેઓ કાલે સાંજે ભારત પરત ફરશે.