-
News Kida
વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ
ત્રણ જિલ્લામાં ભાજપે જિલ્લા પ્રમુખની નિમણૂક કરી. વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ડો.બળદેવભાઈ જીવાભાઈ બ્રહ્મભટ્ટ, વાવ-થરાદના પ્રમુખ તરીકે ડો. નરેશભાઈ વિહાભાઈ ઠાકોર, સુરેન્દ્રનગર ના પ્રમુખ તરીકે શ્રી હાર્દીકભાઈ મેરૂભાઇ ટમાલીયા ની નિમણુંક કરેલ છે.
વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ
નવી ઓફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય
(1) PM RAHAT યોજનાની જાહેરાત: અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને તાત્કાલિક મદદ માટે રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે.(2) લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બમણો કરીને 6 કરોડ કરવામાં આવ્યો.(3) ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ટાર્ગેટ રૂ. 1 લાખ કરોડથી વધારીને રૂ. 2 લાખ કરોડ કરાયો.(4) સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: સ્ટાર્ટઅપ્સ અને ડીપ-ટેક રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડના કોર્પસ સાથે નવા ફંડને મંજૂરી અપાઈ.
નવી ઓફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ફેઈલ થતા યુવતીએ કરી આત્મહત્યા
રાજકોટની અંજુમ અજિતખાન પઠાણે પોલીસ ભરતીની દોડમાં માત્ર દોઢ મિનિટના સમયના અંતરને કારણે હારી જઈને આત્મહત્યા કરી. પિતાને આર્થિક મદદ કરવા PGVCLમાં કસ્ટમર કેરમાં નોકરી શરૂ કરી હતી અને PSI બનવાના સપના સાથે ક્લાસીસની ફી માટે સંઘર્ષ કરતી હતી. 19 વર્ષીય અંજુમ અજીતખાન પઠાણ નામની યુવતી રાજકોટ શહેરના લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નંબર 3 માં મામા યુસુફભાઈના ઘરે રહેતી હતી. ગતરોજ મંગળવારે બપોરે 12:30 વાગ્યા આસપાસ તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ફેઈલ થતા યુવતીએ કરી આત્મહત્યા
વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ
26 જાન્યુઆરી, 2001. એક એવો સવારનો સમય, જ્યારે ગુજરાતમાં લોકો રોજિંદી જિંદગીમાં વ્યસ્ત હતા. પણ સવારે 8:46 વાગ્યે, એક જ ઝટકામાં બધું બદલાઈ ગયું. Youtube Video ડોક્યુમેન્ટરીમાં અમે રજૂ કરીએ છીએ 26 જાન્યુઆરી 2001ના વિનાશક ગુજરાત ભૂકંપની સંપૂર્ણ કહાની - માત્ર આંકડાઓ નહીં, પરંતુ લોકોની લાગણીઓ, પીડા અને અદમ્ય હિંમત સાથે. ભૂકંપની તીવ્રતા (7.7 રિક્ટર સ્કેલ) અને તેનું કેન્દ્ર, ભુજ, કચ્છ, અંજાર, ભચાઉ સહિત વિસ્તારોમાં થયેલો ભયાનક વિનાશ, લાખો ઘરોનો નાશ અને અસંખ્ય પરિવારોનું વિખૂટું પડવું, ભારતીય સેના, વાયુસેના, “વિનાશથી વિકાસ સુધી” ગુજરાતનો પુનર્નિર્માણનો સફર. જુઓ અમારી ડોક્યુમેન્ટરી.
વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ
ગુજરાત પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત નીપજ્યું છે. કચ્છના 25 વર્ષીય યુવાન રવિરાજ જાડેજાનું સારવાર દરમિયાન મુત્યુ થયું છે. 5 કિમીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા યુવાન ઢળી પડ્યો હતો.