Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
Trending icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ icon જ્યોતિષ
  1. News
  2. News Kida
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.

Published on: 03rd April, 2026
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
Published on: 03rd April, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, તેમણે એક આક્રમક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? પોતાની ખામોશીને હાર ન સમજવાની ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં. આ ઘટનાક્રમથી 'AAP'માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે.

Published on: 03rd April, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.
Published on: 03rd April, 2026
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, તેમણે એક આક્રમક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? પોતાની ખામોશીને હાર ન સમજવાની ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં. આ ઘટનાક્રમથી 'AAP'માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.

ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.

Published on: 03rd April, 2026
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
Published on: 03rd April, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.

ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ મંગળવારે દિલ્હીમાં ભાજપમાં જોડાયા, તેમને કૃષ્ણનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, "લીએન્ડર પેસ બંગાળમાં પાર્ટી માટે એક સંપત્તિ બનશે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો, તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો અને તેમણે પોતાની ટેનિસ કારકિર્દી પણ ત્યાંથી શરૂ કરી હતી. જો છેલ્લી ઘડીએ કંઈ બદલાયું નહીં, તો તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કૃષ્ણનગર ઉત્તરથી ચૂંટણી લડશે."

Published on: 01st April, 2026
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.
Published on: 01st April, 2026
ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ મંગળવારે દિલ્હીમાં ભાજપમાં જોડાયા, તેમને કૃષ્ણનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, "લીએન્ડર પેસ બંગાળમાં પાર્ટી માટે એક સંપત્તિ બનશે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો, તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો અને તેમણે પોતાની ટેનિસ કારકિર્દી પણ ત્યાંથી શરૂ કરી હતી. જો છેલ્લી ઘડીએ કંઈ બદલાયું નહીં, તો તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કૃષ્ણનગર ઉત્તરથી ચૂંટણી લડશે."
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ

દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની Oracleએ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી.

Published on: 01st April, 2026
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
Published on: 01st April, 2026
દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની Oracleએ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો જરૂર પડે તો દેશ છ મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ ભૂમિ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ, તેમણે કહ્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન પોતે ભૂમિ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો કોઈ યુદ્ધ થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે.

Published on: 01st April, 2026
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
Published on: 01st April, 2026
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો જરૂર પડે તો દેશ છ મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ ભૂમિ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ, તેમણે કહ્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન પોતે ભૂમિ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો કોઈ યુદ્ધ થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે.
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરતા નિવૃત્ત IPS અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના તાજેતરના અનુસાર, ૧૯૮૯ બેચના નિવૃત્ત IPS અધિકારી અને રાજ્યના પૂર્વ DGP વિકાસ સહાયને 'અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા સ્તરે રમતગમત મહોત્સવના આયોજનની શક્યતાઓ સેવાઈ રહી છે.

Published on: 30th March, 2026
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
Published on: 30th March, 2026
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરતા નિવૃત્ત IPS અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના તાજેતરના અનુસાર, ૧૯૮૯ બેચના નિવૃત્ત IPS અધિકારી અને રાજ્યના પૂર્વ DGP વિકાસ સહાયને 'અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા સ્તરે રમતગમત મહોત્સવના આયોજનની શક્યતાઓ સેવાઈ રહી છે.
અમદાવાદની Bacancy Systemsએ  ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.

ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Published on: 30th March, 2026
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
Published on: 30th March, 2026
ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને 2,000 ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો સુપરત કર્યો. સરકાર આ હથિયારોનો ઉપયોગ LAC અને LoC પર સુરક્ષા અને મારક ક્ષમતા વધારવા માટે કરશે. ‘પ્રહાર’ LMGની મારક ક્ષમતા 1,000 મીટર સુધીની છે, જેનાથી દુશ્મનોને દૂરથી નિશાન બનાવી શકાય છે. મશીન ગન 8 કિલોગ્રામની છે, જેની લંબાઈ 1100 mm છે. એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ થશે.

Published on: 29th March, 2026
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.
Published on: 29th March, 2026
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને 2,000 ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો સુપરત કર્યો. સરકાર આ હથિયારોનો ઉપયોગ LAC અને LoC પર સુરક્ષા અને મારક ક્ષમતા વધારવા માટે કરશે. ‘પ્રહાર’ LMGની મારક ક્ષમતા 1,000 મીટર સુધીની છે, જેનાથી દુશ્મનોને દૂરથી નિશાન બનાવી શકાય છે. મશીન ગન 8 કિલોગ્રામની છે, જેની લંબાઈ 1100 mm છે. એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ થશે.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.

Published on: 29th March, 2026
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
Published on: 29th March, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.

ગુજરાત રાજ્યમાં PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને PSI માંથી પ્રમોશન થઈને આવેલા નવા 8 PI મળ્યા. જેમાં હરિભાઈ પટેલ, આશિષભાઈ રબારી, રોહનભાઈ બાર, હરેશભાઈ જોષી, મહેશભાઈ રાઠોડ, હાર્દિકભાઈ મકવાણા, ચિરાગભાઈ દેસાઈ અને રીનાબેન ચૌધરીનો સમાવેશ થઇ છે.

Published on: 26th March, 2026
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.
Published on: 26th March, 2026
ગુજરાત રાજ્યમાં PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને PSI માંથી પ્રમોશન થઈને આવેલા નવા 8 PI મળ્યા. જેમાં હરિભાઈ પટેલ, આશિષભાઈ રબારી, રોહનભાઈ બાર, હરેશભાઈ જોષી, મહેશભાઈ રાઠોડ, હાર્દિકભાઈ મકવાણા, ચિરાગભાઈ દેસાઈ અને રીનાબેન ચૌધરીનો સમાવેશ થઇ છે.
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.

Published on: 22nd March, 2026
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.
Published on: 22nd March, 2026
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોએ કોઈપણ દબાણ વિના, પોતાની મેળે કામ કરવું જોઈએ અને આ બાબતે આગળ આવવું જોઈએ. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, UAE, ઈરાન.

Published on: 22nd March, 2026
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.
Published on: 22nd March, 2026
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોએ કોઈપણ દબાણ વિના, પોતાની મેળે કામ કરવું જોઈએ અને આ બાબતે આગળ આવવું જોઈએ. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, UAE, ઈરાન.
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.

ઇરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ના નિધનના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે તેઓ તાજેતરના હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. નૈની IRGC માટે અત્યંત મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, કારણ કે તેમની મંજૂરી વિના કોઈપણ સત્તાવાર નિવેદન અથવા પ્રચાર બહાર પડતું નહોતું. તેઓ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનસંપર્ક વિભાગના વડા તરીકે જાણીતા હતા, જેના કારણે સંસ્થાની વ્યૂહરચના અને સંદેશાવ્યવહાર પર તેમનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તેમના અચાનક અવસાનથી IRGC ની આંતરિક કામગીરી અને પ્રચાર વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Published on: 20th March, 2026
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.
Published on: 20th March, 2026
ઇરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ના નિધનના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે તેઓ તાજેતરના હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. નૈની IRGC માટે અત્યંત મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, કારણ કે તેમની મંજૂરી વિના કોઈપણ સત્તાવાર નિવેદન અથવા પ્રચાર બહાર પડતું નહોતું. તેઓ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનસંપર્ક વિભાગના વડા તરીકે જાણીતા હતા, જેના કારણે સંસ્થાની વ્યૂહરચના અને સંદેશાવ્યવહાર પર તેમનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તેમના અચાનક અવસાનથી IRGC ની આંતરિક કામગીરી અને પ્રચાર વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પાટણ DYSP પરેશ રેણુકાએ સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.

Published on: 20th March, 2026
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Published on: 20th March, 2026
પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પાટણ DYSP પરેશ રેણુકાએ સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. તેમણે 25 મિનિટ સુધી આધ્યાત્મિક ચર્ચા કરી. રાષ્ટ્રપતિ શુક્રવારે સવારે 7 વાગ્યે વરસાદ વચ્ચે પરિવાર સાથે પ્રેમાનંદજીના વૃંદાવન આશ્રમ પહોંચ્યા. રાષ્ટ્રપતિએ સંતને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. પ્રેમાનંદજીએ રાધે-રાધે કહીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આશ્રમમાં સંતોએ રાષ્ટ્રપતિને માળા-ચૂંદડી ઓઢાડીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પ્રેમાનંદજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રેમાનંદજીનો ગુરુવારે એટલે કે 19 માર્ચે 56મો જન્મદિવસ હતો.

Published on: 20th March, 2026
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.
Published on: 20th March, 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. તેમણે 25 મિનિટ સુધી આધ્યાત્મિક ચર્ચા કરી. રાષ્ટ્રપતિ શુક્રવારે સવારે 7 વાગ્યે વરસાદ વચ્ચે પરિવાર સાથે પ્રેમાનંદજીના વૃંદાવન આશ્રમ પહોંચ્યા. રાષ્ટ્રપતિએ સંતને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. પ્રેમાનંદજીએ રાધે-રાધે કહીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આશ્રમમાં સંતોએ રાષ્ટ્રપતિને માળા-ચૂંદડી ઓઢાડીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પ્રેમાનંદજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રેમાનંદજીનો ગુરુવારે એટલે કે 19 માર્ચે 56મો જન્મદિવસ હતો.
 ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.
ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.

સાઉદી અરેબિયાના યામ્બુમાં સમરેફ ઓઇલ રિફાઇનરીમાં ડ્રોન હુમલો થયો, જેના કારણે ઉર્જા માળખાને નુકસાન થયું.કતારમાં રાસ લાફાન ગેસ પ્લાન્ટ પર હુમલો, આગ અને નુકસાન થયું. કુવૈતમાં મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. UAEમાં વિવિધ ઉર્જા સ્થાપનો અને માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો.

Published on: 19th March, 2026
ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.
Published on: 19th March, 2026
સાઉદી અરેબિયાના યામ્બુમાં સમરેફ ઓઇલ રિફાઇનરીમાં ડ્રોન હુમલો થયો, જેના કારણે ઉર્જા માળખાને નુકસાન થયું.કતારમાં રાસ લાફાન ગેસ પ્લાન્ટ પર હુમલો, આગ અને નુકસાન થયું. કુવૈતમાં મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. UAEમાં વિવિધ ઉર્જા સ્થાપનો અને માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો.
કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.
કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.

કતરથી LPG ગેસ લઈને શિવાલિક નામનું જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું. બીજું જહાજ નંદાદેવી જહાજ આવતીકાલે પહોંચશે. આ શિવાલિક જહાજમાં અંદાજિત 46 હજાર મેટ્રિક ટન LPG છે. જે અંદાજિત 32.4 લાખ ઘરેલું LPG સિલિન્ડર ભરી શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે. તેમાં 611 ભારતીય ખલાસીઓ છે.

Published on: 16th March, 2026
કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.
Published on: 16th March, 2026
કતરથી LPG ગેસ લઈને શિવાલિક નામનું જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું. બીજું જહાજ નંદાદેવી જહાજ આવતીકાલે પહોંચશે. આ શિવાલિક જહાજમાં અંદાજિત 46 હજાર મેટ્રિક ટન LPG છે. જે અંદાજિત 32.4 લાખ ઘરેલું LPG સિલિન્ડર ભરી શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે. તેમાં 611 ભારતીય ખલાસીઓ છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.

તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં માત્ર બે જ ચરણમાં મતદાન હોવાથી ભારી માત્રામાં ફોર્સ ઉતારવામાં આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેના પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. 4 મેના રોજ પરિણામ જાહેર થશે. જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેલી ગજવીને આવ્યા છે.

Published on: 15th March, 2026
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
Published on: 15th March, 2026
તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં માત્ર બે જ ચરણમાં મતદાન હોવાથી ભારી માત્રામાં ફોર્સ ઉતારવામાં આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેના પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. 4 મેના રોજ પરિણામ જાહેર થશે. જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેલી ગજવીને આવ્યા છે.
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને આપી ચેતવણી
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને આપી ચેતવણી

અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ પૂર્વીય સાગર તરફ 10 મિસાઈલ છોડીને ચેતવણી જાહેર કરી. ઉત્તર કોરિયા લાંબા સમયથી આવા સંયુક્ત યુદ્ધ અભ્યાસને હુમલાની તૈયારી તરીકે ઓળખાવે છે. તેના બેકગ્રાઉન્ડમાં કિંમ જોંગ અને તેની બહેન કિમ યો જોંગએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, જો ઉત્તર કોરિયાની સુરક્ષાને પડકારવામાં આવશે તો તેના ભયંકર પરિણામો ભોગવવા પડશે.

Published on: 15th March, 2026
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને આપી ચેતવણી
Published on: 15th March, 2026
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ પૂર્વીય સાગર તરફ 10 મિસાઈલ છોડીને ચેતવણી જાહેર કરી. ઉત્તર કોરિયા લાંબા સમયથી આવા સંયુક્ત યુદ્ધ અભ્યાસને હુમલાની તૈયારી તરીકે ઓળખાવે છે. તેના બેકગ્રાઉન્ડમાં કિંમ જોંગ અને તેની બહેન કિમ યો જોંગએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, જો ઉત્તર કોરિયાની સુરક્ષાને પડકારવામાં આવશે તો તેના ભયંકર પરિણામો ભોગવવા પડશે.
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.

કેન્દ્રીય નીતિ આયોગે દરેક રાજ્યને તેના GSDP ના ૬ ટકા અથવા તેના કુલ બજેટના ૨૦ ટકા રકમ શિક્ષણ માટે દર વર્ષે ફાળવવાની ભલામણ કરી હોવા છતાં ગુજરાતમાં આ માર્ગદર્શક નીતિનો સતત ભંગ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના શિક્ષણ વિભાગ માટે કુલ બજેટના ૧૫ ટકા રકમની જોગવાઈ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ રાજ્યમાં શિક્ષણ વિભાગનું બજેટ કુલ બજેટના ૧૪-૧૫ ટકા જ રહ્યું છે.

Published on: 15th March, 2026
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.
Published on: 15th March, 2026
કેન્દ્રીય નીતિ આયોગે દરેક રાજ્યને તેના GSDP ના ૬ ટકા અથવા તેના કુલ બજેટના ૨૦ ટકા રકમ શિક્ષણ માટે દર વર્ષે ફાળવવાની ભલામણ કરી હોવા છતાં ગુજરાતમાં આ માર્ગદર્શક નીતિનો સતત ભંગ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના શિક્ષણ વિભાગ માટે કુલ બજેટના ૧૫ ટકા રકમની જોગવાઈ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ રાજ્યમાં શિક્ષણ વિભાગનું બજેટ કુલ બજેટના ૧૪-૧૫ ટકા જ રહ્યું છે.
રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી ASIએ કર્યો 20 હજારનો તોડ.
રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી ASIએ કર્યો 20 હજારનો તોડ.

રાજકોટના ASI એ રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી 20 હજારનો તોડ કર્યો. આ યાત્રા કરવા જઈ રહેલા લોકો સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલું સાહેબના વતનના હતા. ત્યારબાદ સંઘમાંથી કોઈકે SP પ્રેમસુખ ડેલું સાહેબને જાણ કરી હતી. પછી SP સાહેબે સમગ્ર મામલે DCP જગદીશ બાંગરવાએ જાણ કરી ત્યારબાદ કાર્યવાહી થઈ.

Published on: 14th March, 2026
રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી ASIએ કર્યો 20 હજારનો તોડ.
Published on: 14th March, 2026
રાજકોટના ASI એ રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી 20 હજારનો તોડ કર્યો. આ યાત્રા કરવા જઈ રહેલા લોકો સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલું સાહેબના વતનના હતા. ત્યારબાદ સંઘમાંથી કોઈકે SP પ્રેમસુખ ડેલું સાહેબને જાણ કરી હતી. પછી SP સાહેબે સમગ્ર મામલે DCP જગદીશ બાંગરવાએ જાણ કરી ત્યારબાદ કાર્યવાહી થઈ.
અમદાવાદ શહેરના 6 પોલીસ સ્ટેશનને નવા બનાવાયેલા ઝોન-8માં સમાવેશ કરાયો
અમદાવાદ શહેરના 6 પોલીસ સ્ટેશનને નવા બનાવાયેલા ઝોન-8માં સમાવેશ કરાયો

તાજેતરમાં જ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં નવા ઝોન 8ના DCP તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવી DCP ઝોન 8 કચેરી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઝોન 8 વિસ્તારમાં નવા વસ્ત્રાલ પોલીસ સ્ટેશન સાથે કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવનાર છે. નવા ઝોનની સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં અમદાવાદમાં નવા 3 પોલીસ સ્ટેશનનો પણ બનાવાશે. જેમાં ઝોન 8માં વસ્ત્રાલ પોલીસ સ્ટેશન, ઝોન 4માં હંસપુરા પોલીસ સ્ટેશન અને ઝોન 2માં મોટેરા પોલીસ સ્ટેશન બનાવામાં આવશે.

Published on: 11th March, 2026
અમદાવાદ શહેરના 6 પોલીસ સ્ટેશનને નવા બનાવાયેલા ઝોન-8માં સમાવેશ કરાયો
Published on: 11th March, 2026
તાજેતરમાં જ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં નવા ઝોન 8ના DCP તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવી DCP ઝોન 8 કચેરી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઝોન 8 વિસ્તારમાં નવા વસ્ત્રાલ પોલીસ સ્ટેશન સાથે કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવનાર છે. નવા ઝોનની સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં અમદાવાદમાં નવા 3 પોલીસ સ્ટેશનનો પણ બનાવાશે. જેમાં ઝોન 8માં વસ્ત્રાલ પોલીસ સ્ટેશન, ઝોન 4માં હંસપુરા પોલીસ સ્ટેશન અને ઝોન 2માં મોટેરા પોલીસ સ્ટેશન બનાવામાં આવશે.
લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI સસ્પેન્ડ
લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI સસ્પેન્ડ

મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો.મામલાની ગંભીરતાને જોતા SP દ્વારા તાત્કાલીક અસરથી PI એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Published on: 10th March, 2026
લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI સસ્પેન્ડ
Published on: 10th March, 2026
મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો.મામલાની ગંભીરતાને જોતા SP દ્વારા તાત્કાલીક અસરથી PI એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે.
યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ
યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ

પાકિસ્તાનમાં ભયાનક ઈંધણ સંકટ પેદા થયું છે. જે બાદ શાહબાઝ સરકારે રાતોરાત પેટ્રોલના ભાવમાં 55 પાકિસ્તાની રૂપિયાનો વધારો કર્યો છે. 31 માર્ચ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે. સરકારી વિભાગોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. બેન્ક સિવાયની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે. પાકિસ્તાનના તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં મળે. પાકિસ્તાનના તમામ ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો કાપ.

Published on: 10th March, 2026
યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ
Published on: 10th March, 2026
પાકિસ્તાનમાં ભયાનક ઈંધણ સંકટ પેદા થયું છે. જે બાદ શાહબાઝ સરકારે રાતોરાત પેટ્રોલના ભાવમાં 55 પાકિસ્તાની રૂપિયાનો વધારો કર્યો છે. 31 માર્ચ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે. સરકારી વિભાગોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. બેન્ક સિવાયની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે. પાકિસ્તાનના તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં મળે. પાકિસ્તાનના તમામ ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો કાપ.
BCCI એ ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની કરી જાહેરાત
BCCI એ ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની કરી જાહેરાત

રવિવારે અમદાવાદમાં રેકોર્ડ ત્રીજો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઇતિહાસ રચનારા ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCIએ 131 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. BCCIએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બોર્ડ આ ઐતિહાસિક સિદ્ધિ પર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને ફરી એકવાર અભિનંદન આપે છે અને ભવિષ્યમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવે છે." ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમના સભ્યોને મળેલી ઈનામી રકમની સરખામણીમાં ૬ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Published on: 10th March, 2026
BCCI એ ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની કરી જાહેરાત
Published on: 10th March, 2026
રવિવારે અમદાવાદમાં રેકોર્ડ ત્રીજો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઇતિહાસ રચનારા ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCIએ 131 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. BCCIએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બોર્ડ આ ઐતિહાસિક સિદ્ધિ પર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને ફરી એકવાર અભિનંદન આપે છે અને ભવિષ્યમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવે છે." ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમના સભ્યોને મળેલી ઈનામી રકમની સરખામણીમાં ૬ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચવામાં આવી
ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચવામાં આવી

ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચાઈ. બનાસકાંઠા રેન્જમાં IPS પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી. પહેલા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને બોર્ડર રેન્જ(ભુજ)લાગુ પડતી હતી. પાટણ જિલ્લાને પણ બનાસકાંઠા રેન્જમાં જોડવામાં આવ્યો.

Published on: 06th March, 2026
ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચવામાં આવી
Published on: 06th March, 2026
ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચાઈ. બનાસકાંઠા રેન્જમાં IPS પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી. પહેલા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને બોર્ડર રેન્જ(ભુજ)લાગુ પડતી હતી. પાટણ જિલ્લાને પણ બનાસકાંઠા રેન્જમાં જોડવામાં આવ્યો.
૮ રાજ્યો ને મળ્યાં નવા રાજ્યપાલ; દિલ્હી ને મળ્યા નવા ઉપરાજ્યપાલ
૮ રાજ્યો ને મળ્યાં નવા રાજ્યપાલ; દિલ્હી ને મળ્યા નવા ઉપરાજ્યપાલ

મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા, પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ., બિહારના રાજ્યપાલ લે.જ(રીટા) સૈયદ અતા હસનૈન, તમિલનાડુના રાજ્યપાલ માટે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા, નાગાલેન્ડના રાજ્યપાલ નંદ કિશોર યાદવ, દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુ, લદ્દાખના રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને નિમવામાં આવ્યા છે.

Published on: 06th March, 2026
૮ રાજ્યો ને મળ્યાં નવા રાજ્યપાલ; દિલ્હી ને મળ્યા નવા ઉપરાજ્યપાલ
Published on: 06th March, 2026
મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા, પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ., બિહારના રાજ્યપાલ લે.જ(રીટા) સૈયદ અતા હસનૈન, તમિલનાડુના રાજ્યપાલ માટે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા, નાગાલેન્ડના રાજ્યપાલ નંદ કિશોર યાદવ, દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુ, લદ્દાખના રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને નિમવામાં આવ્યા છે.
વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, થોડા દિવસ અગાઉ PSIની શારીરિક કસોટી કરી હતી પાસ
વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, થોડા દિવસ અગાઉ PSIની શારીરિક કસોટી કરી હતી પાસ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોન્સ્ટેબલના આપઘાતની ઘટના બની રહી છે. એવામાં વધુ એક કોન્સ્ટેબલે જીવન ટુંકાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ તેના જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મહિલા કોન્સ્ટેબલે થોડા સમય પહેલા જ PSIની શારીરિક કસોટી પાસ કરી હતી. મૃતક મૂળ બનાસકાંઠાના વતની હતા અને આજવા રોડ વિસ્તારમાં રહેતા હતા. બાપોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વધુ એક મહિલા કોનસ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર મચી છે.

Published on: 05th March, 2026
વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, થોડા દિવસ અગાઉ PSIની શારીરિક કસોટી કરી હતી પાસ
Published on: 05th March, 2026
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોન્સ્ટેબલના આપઘાતની ઘટના બની રહી છે. એવામાં વધુ એક કોન્સ્ટેબલે જીવન ટુંકાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ તેના જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મહિલા કોન્સ્ટેબલે થોડા સમય પહેલા જ PSIની શારીરિક કસોટી પાસ કરી હતી. મૃતક મૂળ બનાસકાંઠાના વતની હતા અને આજવા રોડ વિસ્તારમાં રહેતા હતા. બાપોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વધુ એક મહિલા કોનસ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર મચી છે.