Logo Logo
News About Us Contact Us
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
Trending મારું ગુજરાત દેશ Crime દુનિયા રાજકારણ રમત-જગત હવામાન કૃષિ વેપાર સ્ટોક માર્કેટ પર્સનલ ફાઇનાન્સ Science & Technology મનોરંજન બોલીવુડ Career Education જાણવા જેવું સ્વાસ્થ્ય ધર્મ જ્યોતિષ અમદાવાદ પ્લેન ક્રેશ ઓપરેશન સિંદૂર
  1. News
  2. News Kida
DSP સફિન હસન પર આરોપ: હાઈકોર્ટે એફિડેવિટ પર નામ માંગ્યું
DSP સફિન હસન પર આરોપ: હાઈકોર્ટે એફિડેવિટ પર નામ માંગ્યું

હાઈકોર્ટે રખડતા ઢોર, ટ્રાફિક અને રસ્તાઓ પર સુનાવણી દરમિયાન DCP સફિન હસનને ટાર્ગેટ કરનારા રાજકીય લોકોનું નામ એફિડેવિટ પર આપવા જણાવ્યું છે. કોર્ટે ચેતવણી આપી કે જો નામ આપવામાં નહીં આવે તો કન્ટેમ્પ્ટ અને ફોજદારી કાર્યવાહી થશે. સરકારી વકીલે શહેરમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની કામગીરીના આંકડા રજૂ કર્યા.

Published on: 13th August, 2025
DSP સફિન હસન પર આરોપ: હાઈકોર્ટે એફિડેવિટ પર નામ માંગ્યું
Published on: 13th August, 2025
હાઈકોર્ટે રખડતા ઢોર, ટ્રાફિક અને રસ્તાઓ પર સુનાવણી દરમિયાન DCP સફિન હસનને ટાર્ગેટ કરનારા રાજકીય લોકોનું નામ એફિડેવિટ પર આપવા જણાવ્યું છે. કોર્ટે ચેતવણી આપી કે જો નામ આપવામાં નહીં આવે તો કન્ટેમ્પ્ટ અને ફોજદારી કાર્યવાહી થશે. સરકારી વકીલે શહેરમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની કામગીરીના આંકડા રજૂ કર્યા.
જાણો નક્કર સર્વે (1500 જેટલા સ્ક્રીન શોટ) બાદ કાઢેલું પુરુષ લોકરક્ષક ના મેરીટ નું તારણ
જાણો નક્કર સર્વે (1500 જેટલા સ્ક્રીન શોટ) બાદ કાઢેલું પુરુષ લોકરક્ષક ના મેરીટ નું તારણ

અંતિમ મેરીટ જનરલ મેરીટ : ૧૧૨ EWS મેરીટ : ૧૦૮ OBC મેરીટ : ૧૧૦ SC મેરીટ : ૧૦૫ ST મેરીટ : ૯૭ ટૂંક સમય માં વ્યવસ્થિત અભ્યાસ બાદ ક્યાં માર્ક ને કેટેગરી વાઇઝ ક્યાં સંવર્ગમાં ભરતી થશે એના વિશે ની માહિતી પણ આ વેબસાઈટમાં મૂકવામાં આવશે.

Published on: 08th August, 2025
જાણો નક્કર સર્વે (1500 જેટલા સ્ક્રીન શોટ) બાદ કાઢેલું પુરુષ લોકરક્ષક ના મેરીટ નું તારણ
Published on: 08th August, 2025
અંતિમ મેરીટ
  • જનરલ મેરીટ : ૧૧૨
  • EWS મેરીટ : ૧૦૮
  • OBC મેરીટ : ૧૧૦
  • SC મેરીટ : ૧૦૫
  • ST મેરીટ : ૯૭

ટૂંક સમય માં વ્યવસ્થિત અભ્યાસ બાદ ક્યાં માર્ક ને કેટેગરી વાઇઝ ક્યાં સંવર્ગમાં ભરતી થશે એના વિશે ની માહિતી પણ આ વેબસાઈટમાં મૂકવામાં આવશે.

રક્ષા ખડસે: મહારાષ્ટ્રમાંથી માત્ર નાની ઉંમરે ચૂંટાયેલ મહિલા સાંસદ
રક્ષા ખડસે: મહારાષ્ટ્રમાંથી માત્ર નાની ઉંમરે ચૂંટાયેલ મહિલા સાંસદ

રક્ષા નિખિલ ખડસે વર્ષ 2010 થી 2012 માં કોથળી ગ્રામ પંચાયતના સરપંચ બન્યા. તેમના પતિનું નિધન થયું ત્યારે રક્ષા ખડસેની ઉંમરે માત્ર ૨૫ વર્ષની હતી. વર્ષ ૨૦૧૩ માં પતિ નિખિલ ખડસેનું નિધન થયું. વર્ષ 2012 થી 2014 માં સભ્ય જલગાંવ જિલ્લા પરિષદના સભ્ય બન્યા અને શિક્ષણ અને રમત સમિતિ માં કામ કર્યું. વર્ષ 2014 થી અત્યાર સુધી રાવેર લોકસભા મતવિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બન્યા. વર્ષ 2024 માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી બન્યા.

Published on: 06th August, 2025
રક્ષા ખડસે: મહારાષ્ટ્રમાંથી માત્ર નાની ઉંમરે ચૂંટાયેલ મહિલા સાંસદ
Published on: 06th August, 2025
રક્ષા નિખિલ ખડસે વર્ષ 2010 થી 2012 માં કોથળી ગ્રામ પંચાયતના સરપંચ બન્યા. તેમના પતિનું નિધન થયું ત્યારે રક્ષા ખડસેની ઉંમરે માત્ર ૨૫ વર્ષની હતી. વર્ષ ૨૦૧૩ માં પતિ નિખિલ ખડસેનું નિધન થયું. વર્ષ 2012 થી 2014 માં સભ્ય જલગાંવ જિલ્લા પરિષદના સભ્ય બન્યા અને શિક્ષણ અને રમત સમિતિ માં કામ કર્યું. વર્ષ 2014 થી અત્યાર સુધી રાવેર લોકસભા મતવિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બન્યા. વર્ષ 2024 માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી બન્યા.
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર

૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.

Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.
અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ પોલીસમાં ફરજ બજાવતા પતિની હત્યા કરી
અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ પોલીસમાં ફરજ બજાવતા પતિની હત્યા કરી

અમદાવાદ દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ માથામાં પથ્થર મારીને પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારને કારણે મુકેશ પરમાર લોહીલુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત થઈ જતાં પત્ની સંગીતાબેને ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.

Published on: 04th August, 2025
અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ પોલીસમાં ફરજ બજાવતા પતિની હત્યા કરી
Published on: 04th August, 2025
અમદાવાદ દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ માથામાં પથ્થર મારીને પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારને કારણે મુકેશ પરમાર લોહીલુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત થઈ જતાં પત્ની સંગીતાબેને ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૬ રનથી હરાવ્યું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૬ રનથી હરાવ્યું.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ઓવલ ટેસ્ટ રોમાંચક તબક્કામાં ગઈ. તેમાં છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ લઈને ઇંગ્લેન્ડને માત્ર 6 રને હરાવ્યું છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતે ઇંગ્લેન્ડ સાથે 2-2 થી સિરીઝ ડ્રો કરી છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ અને સિરાજે 5 વિકેટ ઝડપી.

Published on: 04th August, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૬ રનથી હરાવ્યું.
Published on: 04th August, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ઓવલ ટેસ્ટ રોમાંચક તબક્કામાં ગઈ. તેમાં છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ લઈને ઇંગ્લેન્ડને માત્ર 6 રને હરાવ્યું છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતે ઇંગ્લેન્ડ સાથે 2-2 થી સિરીઝ ડ્રો કરી છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ અને સિરાજે 5 વિકેટ ઝડપી.
૧૭ હજાર કરોડના કૌભાંડને લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ૫ ઓગસ્ટે ED પૂછપરછ કરશે.
૧૭ હજાર કરોડના કૌભાંડને લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ૫ ઓગસ્ટે ED પૂછપરછ કરશે.

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે Enforcement Directorate એ તેમને 5 ઓગસ્ટે 17,000 કરોડની બેન્ક છેતરપિંડી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ ગઈ અઠવાડિયે PMLA હેઠળ મુંબઈમાં રિલાયન્સ ગ્રુપના 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે લોનની રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુ માટે કરવામાં આવ્યો હતો. યસ બેન્ક દ્વારા 2017-2019 દરમિયાન 3,000 કરોડની લોન ગેરરીતિથી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. તપાસમાં શેલ કંપનીઓ, સમાન ડિરેક્ટરો, નબળા દસ્તાવેજો જેવી અનેક ગેરરીતિઓ સામે આવી છે. અનિલ અંબાણીની કંપનીઓએ તપાસમાં સહકાર આપવાની જાહેરાત કરી છે.

Published on: 01st August, 2025
૧૭ હજાર કરોડના કૌભાંડને લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ૫ ઓગસ્ટે ED પૂછપરછ કરશે.
Published on: 01st August, 2025
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે Enforcement Directorate એ તેમને 5 ઓગસ્ટે 17,000 કરોડની બેન્ક છેતરપિંડી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ ગઈ અઠવાડિયે PMLA હેઠળ મુંબઈમાં રિલાયન્સ ગ્રુપના 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે લોનની રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુ માટે કરવામાં આવ્યો હતો. યસ બેન્ક દ્વારા 2017-2019 દરમિયાન 3,000 કરોડની લોન ગેરરીતિથી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. તપાસમાં શેલ કંપનીઓ, સમાન ડિરેક્ટરો, નબળા દસ્તાવેજો જેવી અનેક ગેરરીતિઓ સામે આવી છે. અનિલ અંબાણીની કંપનીઓએ તપાસમાં સહકાર આપવાની જાહેરાત કરી છે.
દક્ષિણ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA ગઠબંધનને મોટો ઝટકો.
દક્ષિણ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA ગઠબંધનને મોટો ઝટકો.

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ એ ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનમાંથી અલગ થવાની જાહેરાત કરી. પૂર્વ મુખ્યમંત્રીએ વડાપ્રધાનને મળવા માટેનો સમય માંગ્યો હતો. પરંતુ તેમને મુલાકાતનો સમય આપવામાં આવ્યો નહતો, આ અવગણના પછી NDA એ છોડવાનો નિર્ણય લીધો.

Published on: 01st August, 2025
દક્ષિણ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA ગઠબંધનને મોટો ઝટકો.
Published on: 01st August, 2025
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ એ ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનમાંથી અલગ થવાની જાહેરાત કરી. પૂર્વ મુખ્યમંત્રીએ વડાપ્રધાનને મળવા માટેનો સમય માંગ્યો હતો. પરંતુ તેમને મુલાકાતનો સમય આપવામાં આવ્યો નહતો, આ અવગણના પછી NDA એ છોડવાનો નિર્ણય લીધો.
"ઓપરેશન સિંદૂર" ચર્ચાને લઈને લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન
"ઓપરેશન સિંદૂર" ચર્ચાને લઈને લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન

રાહુલ ગાંધીએ કહ્યું ૧૯૭૧માં અમેરિકાની ચિંતા કર્યા વગર ઇન્દિરા ગાંધીએ ભારતીય સૈનિકોને છૂટ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરની સરખામણી ૧૯૭૧ ના યુદ્ધ સાથે કરી. ઇન્દિરા ગાંધીએ અમેરિકાની એક પણ વાત નહોતી માની. ૧૯૭૧ માં સેના અને સરકાર પાસે ઈચ્છાશક્તિ હતી. વર્તમાન સરકાર જોડે લડવાની ઈચ્છા શક્તિ નથી.

Published on: 29th July, 2025
"ઓપરેશન સિંદૂર" ચર્ચાને લઈને લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન
Published on: 29th July, 2025
રાહુલ ગાંધીએ કહ્યું ૧૯૭૧માં અમેરિકાની ચિંતા કર્યા વગર ઇન્દિરા ગાંધીએ ભારતીય સૈનિકોને છૂટ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરની સરખામણી ૧૯૭૧ ના યુદ્ધ સાથે કરી. ઇન્દિરા ગાંધીએ અમેરિકાની એક પણ વાત નહોતી માની. ૧૯૭૧ માં સેના અને સરકાર પાસે ઈચ્છાશક્તિ હતી. વર્તમાન સરકાર જોડે લડવાની ઈચ્છા શક્તિ નથી.
થાઈલેન્ડ - કંબોડિયા વચ્ચે યુદ્ધ
થાઈલેન્ડ - કંબોડિયા વચ્ચે યુદ્ધ

થાઈલેન્ડ - કંબોડિયા ૫૦૮-માઇલ (૮૧૭-કિલોમીટર) જમીન સરહદ શેર કરે છે - જે મોટાભાગે ફ્રેન્ચ દ્વારા મેપ કરવામાં આવી હતી જ્યારે તેઓ કંબોડિયાને વસાહત તરીકે નિયંત્રિત કરતા હતા - જે સમયાંતરે લશ્કરી અથડામણો જોતી રહી છે અને રાજકીય તણાવનું કારણ બની છે. મે મહિનામાં કંબોડિયા, થાઈલેન્ડ અને લાઓસ મળે છે તે એમેરાલ્ડ ટ્રાયેંગલના વિવાદાસ્પદ સરહદી વિસ્તારમાં થાઈ અને કંબોડિયન સૈનિકો વચ્ચે થયેલી ટૂંકી અથડામણ દરમિયાન એક કંબોડિયન સૈનિકનું મોત થતાં તણાવ વધુ વકર્યો હતો.

Published on: 24th July, 2025
થાઈલેન્ડ - કંબોડિયા વચ્ચે યુદ્ધ
Published on: 24th July, 2025
થાઈલેન્ડ - કંબોડિયા ૫૦૮-માઇલ (૮૧૭-કિલોમીટર) જમીન સરહદ શેર કરે છે - જે મોટાભાગે ફ્રેન્ચ દ્વારા મેપ કરવામાં આવી હતી જ્યારે તેઓ કંબોડિયાને વસાહત તરીકે નિયંત્રિત કરતા હતા - જે સમયાંતરે લશ્કરી અથડામણો જોતી રહી છે અને રાજકીય તણાવનું કારણ બની છે. મે મહિનામાં કંબોડિયા, થાઈલેન્ડ અને લાઓસ મળે છે તે એમેરાલ્ડ ટ્રાયેંગલના વિવાદાસ્પદ સરહદી વિસ્તારમાં થાઈ અને કંબોડિયન સૈનિકો વચ્ચે થયેલી ટૂંકી અથડામણ દરમિયાન એક કંબોડિયન સૈનિકનું મોત થતાં તણાવ વધુ વકર્યો હતો.
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.

પૂર્વી રશિયામાં 46 લોકો સાથેનું વિમાન ગુમ થઈ ગયું હતું. આ વિમાન ચીનની સરહદ નજીક ક્રેશ થયાની માહિતી મળી છે. વિમાનમા સવાર 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત 49નું મુત્યુ નીપજ્યું છે. આ વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.

Published on: 24th July, 2025
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.
Published on: 24th July, 2025
પૂર્વી રશિયામાં 46 લોકો સાથેનું વિમાન ગુમ થઈ ગયું હતું. આ વિમાન ચીનની સરહદ નજીક ક્રેશ થયાની માહિતી મળી છે. વિમાનમા સવાર 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત 49નું મુત્યુ નીપજ્યું છે. આ વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.
ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા
ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા

અલકાયદા ઈન્ડિયાના 4 આતંકીઓને ઝડપ્યા. 1 દિલ્હી, UP અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા, સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. છેલ્લા કેટલાય સમયથી ATSની રડારમાં હતા આતંકીઓ આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા ATS દબોચ્યાં.

Published on: 23rd July, 2025
ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા
Published on: 23rd July, 2025
અલકાયદા ઈન્ડિયાના 4 આતંકીઓને ઝડપ્યા. 1 દિલ્હી, UP અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા, સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. છેલ્લા કેટલાય સમયથી ATSની રડારમાં હતા આતંકીઓ આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા ATS દબોચ્યાં.
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું

જગદીપ ધનખરે વર્ષ ૨૦૨૨ માં માર્ગોરેટ આલ્વાને હરાવીને દેશના ૧૪માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. સ્વાસ્થ્યનો હવાલો આપીને પદ ઉપરથી રાજીનામું આપ્યું. ચોમાસું સત્ર ચાલુ થયું અને રાજ્યસભાના સભાપતિ ઉર્ફે દેશના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. હવે દિલ્હીના ગલિયારો હવા તેજ. મોદી સાહેબના ચાલુ કાર્યકાળમાં સૌથી મોટો ફટકો. વિપક્ષને મજબૂત દાવ મળ્યો.

Published on: 22nd July, 2025
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું
Published on: 22nd July, 2025
જગદીપ ધનખરે વર્ષ ૨૦૨૨ માં માર્ગોરેટ આલ્વાને હરાવીને દેશના ૧૪માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. સ્વાસ્થ્યનો હવાલો આપીને પદ ઉપરથી રાજીનામું આપ્યું. ચોમાસું સત્ર ચાલુ થયું અને રાજ્યસભાના સભાપતિ ઉર્ફે દેશના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. હવે દિલ્હીના ગલિયારો હવા તેજ. મોદી સાહેબના ચાલુ કાર્યકાળમાં સૌથી મોટો ફટકો. વિપક્ષને મજબૂત દાવ મળ્યો.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.

બદલી માટે 50 કર્મચારીઓની ટીમ બેસાડી. સામાન્ય લોકોને ફોન કરીને બદલી થતા પોલીસ અધિકારીઓ વિશે પ્રતિસાદ માંગવામાં આવ્યાં. આ સાહેબ તમારા વિસ્તારમાં કેવા હતા, કેવું કામ કર્યું વગેરે. લિસ્ટ હજુ બહાર પડવામા આવ્યું નથી.

Published on: 21st July, 2025
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.
Published on: 21st July, 2025
બદલી માટે 50 કર્મચારીઓની ટીમ બેસાડી. સામાન્ય લોકોને ફોન કરીને બદલી થતા પોલીસ અધિકારીઓ વિશે પ્રતિસાદ માંગવામાં આવ્યાં. આ સાહેબ તમારા વિસ્તારમાં કેવા હતા, કેવું કામ કર્યું વગેરે. લિસ્ટ હજુ બહાર પડવામા આવ્યું નથી.
બાંગ્લાદેશનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું
બાંગ્લાદેશનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું

બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું. આ વિમાન દુર્ઘટના સમયે બાળકો સ્કૂલમાં હતાં. 19નાં મોત, 164 લોકો ઘાયલ થયા. ક્રેશ થયું તે વિમાન F-7BGI હતું, જે ચાઇનીઝ J-7 ફાઇટરનું અદ્યતન સંસ્કરણ હતું. આ ફ્લાઇટ તાલીમ માટે 1.06 વાગ્યે ઉપડી હતી પરંતુ ટૂંક સમયમાં ક્રેશ થઈ. બાંગ્લાદેશના નેતા, મોહમ્મદ યુનુસે X પરની એક પોસ્ટમાં બનેલી ઘટના અંગે ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Published on: 21st July, 2025
બાંગ્લાદેશનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું
Published on: 21st July, 2025
બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું. આ વિમાન દુર્ઘટના સમયે બાળકો સ્કૂલમાં હતાં. 19નાં મોત, 164 લોકો ઘાયલ થયા. ક્રેશ થયું તે વિમાન F-7BGI હતું, જે ચાઇનીઝ J-7 ફાઇટરનું અદ્યતન સંસ્કરણ હતું. આ ફ્લાઇટ તાલીમ માટે 1.06 વાગ્યે ઉપડી હતી પરંતુ ટૂંક સમયમાં ક્રેશ થઈ. બાંગ્લાદેશના નેતા, મોહમ્મદ યુનુસે X પરની એક પોસ્ટમાં બનેલી ઘટના અંગે ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.

HCએ કહ્યું, 12 ગુનેગારને સજા અપાવવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં 189 મુસાફર માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.પ્રેશરકૂકરમાં બોમ્બ સેટ કર્યા હતા.

Published on: 21st July, 2025
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.
Published on: 21st July, 2025
HCએ કહ્યું, 12 ગુનેગારને સજા અપાવવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં 189 મુસાફર માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.પ્રેશરકૂકરમાં બોમ્બ સેટ કર્યા હતા.
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટના નામે ઓળખાતા મંગલમપલ્લી વેંકટેશનું 53 વર્ષની વયે નિધન થયું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે વેંકટના પરિવારે મદદની પણ અપીલ કરી હતી. તેમને નાણાકીય મદદ મળી હતી, પરંતુ યોગ્ય સમયે ડોનર ન મળતા તેમનું નિધન થયું હતુ.

Published on: 20th July, 2025
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન
Published on: 20th July, 2025
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટના નામે ઓળખાતા મંગલમપલ્લી વેંકટેશનું 53 વર્ષની વયે નિધન થયું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે વેંકટના પરિવારે મદદની પણ અપીલ કરી હતી. તેમને નાણાકીય મદદ મળી હતી, પરંતુ યોગ્ય સમયે ડોનર ન મળતા તેમનું નિધન થયું હતુ.
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR

મારી દિકરી અરૂણાબેન ગઈ તા. ૧૧/૦૭/૨૦૨૫ થી તા.૧૭/૦૭/૨૦૨૫ સુધી રજામાં અમારા વતન આવેલ હતી અને ગઈકાલ તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રાત્રે સાતેક વાગ્યે મારી દિકરી અરૂણાનો મને ફોન આવેલ અને સામન્ય વાતચીત કરેલ હતી બાદ આજરોજ તા .૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારમાં અગિયારેક વાગ્યે હું અમારા ગામડે હતો ત્યારે મને અંજાર પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અને જણાવેલ કે, તમારી દિકરી અરૂણાબેનનુ તેના રહેણાંક મકાને દિલીપભાઈ શંકરભાઈએ મર્ડર કરેલ છે જેથી તમો અંજાર આવો તેવી જાણ કરેલ જેથી હું અમારા ગામડેથી અમારા સમાજના આગેવાનોને સાથે લઈ અંજાર સરકારી દવાખાને આવેલ ત્યારે મારી દિકરી અરૂણાને અંજાર સરકારી દવાખાનના પી.એમ.રૂમમાં રાખેલ હતી અને તેને ડોકટર સાહેબે હત્યા થઈ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ અને મારી દિકરી અરૂણાના ગળાના ભાગે ટુંપો આપેલાના નિશાનો હતા અને ડોકટર સાહેબે તેની લાશનુ પી.એમ. થવા સારૂ જામનગર મોકલવા અંગેની જાણ અમોને કરેલ હતી અને ત્યાં હાજર પોલીસ સ્ટાફ ના માણસોને મારી દિકરી બાબતે પુછતા તેઓએ જણાવેલ હતુ કે, અરૂણાબેન ગઈ કાલે પોલીસ સ્ટેશન નોકરી ઉપર આવેલ હતા અને રાત્રે નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની કામગીરીમાં હતા અને આજરોજ સવારમાં ૧૦ વાગ્યે તેનુ મર્ડર દિલીપ જાદવે કરેલ છે તેવી અમોને જાણ થયેલ છે તેવી વિગત જણાવેલ હતી. જેથી આ અંગે પોલીસ ફરીયાદ કરવા માટે હું અંજાર પોલીસ સ્ટેશન આવેલ છું.

Published on: 20th July, 2025
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR
Published on: 20th July, 2025
મારી દિકરી અરૂણાબેન ગઈ તા. ૧૧/૦૭/૨૦૨૫ થી તા.૧૭/૦૭/૨૦૨૫ સુધી રજામાં અમારા વતન આવેલ હતી અને ગઈકાલ તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રાત્રે સાતેક વાગ્યે મારી દિકરી અરૂણાનો મને ફોન આવેલ અને સામન્ય વાતચીત કરેલ હતી બાદ આજરોજ તા .૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારમાં અગિયારેક વાગ્યે હું અમારા ગામડે હતો ત્યારે મને અંજાર પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અને જણાવેલ કે, તમારી દિકરી અરૂણાબેનનુ તેના રહેણાંક મકાને દિલીપભાઈ શંકરભાઈએ મર્ડર કરેલ છે જેથી તમો અંજાર આવો તેવી જાણ કરેલ જેથી હું અમારા ગામડેથી અમારા સમાજના આગેવાનોને સાથે લઈ અંજાર સરકારી દવાખાને આવેલ ત્યારે મારી દિકરી અરૂણાને અંજાર સરકારી દવાખાનના પી.એમ.રૂમમાં રાખેલ હતી અને તેને ડોકટર સાહેબે હત્યા થઈ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ અને મારી દિકરી અરૂણાના ગળાના ભાગે ટુંપો આપેલાના નિશાનો હતા અને ડોકટર સાહેબે તેની લાશનુ પી.એમ. થવા સારૂ જામનગર મોકલવા અંગેની જાણ અમોને કરેલ હતી અને ત્યાં હાજર પોલીસ સ્ટાફ ના માણસોને મારી દિકરી બાબતે પુછતા તેઓએ જણાવેલ હતુ કે, અરૂણાબેન ગઈ કાલે પોલીસ સ્ટેશન નોકરી ઉપર આવેલ હતા અને રાત્રે નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની કામગીરીમાં હતા અને આજરોજ સવારમાં ૧૦ વાગ્યે તેનુ મર્ડર દિલીપ જાદવે કરેલ છે તેવી અમોને જાણ થયેલ છે તેવી વિગત જણાવેલ હતી. જેથી આ અંગે પોલીસ ફરીયાદ કરવા માટે હું અંજાર પોલીસ સ્ટેશન આવેલ છું.
ASI ની હત્યા કરનાર આરોપી CRPF દિલીપ
ASI ની હત્યા કરનાર આરોપી CRPF દિલીપ

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫) ની હત્યા કરનાર CRPF બોયફ્રેન્ડ દિલીપ. ઘરમાં ગળું દાબીને હત્યા કરી હતી હત્યા. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.

Published on: 20th July, 2025
ASI ની હત્યા કરનાર આરોપી CRPF દિલીપ
Published on: 20th July, 2025
કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫) ની હત્યા કરનાર CRPF બોયફ્રેન્ડ દિલીપ. ઘરમાં ગળું દાબીને હત્યા કરી હતી હત્યા. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ

ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે આજે WCL (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ) ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ કરવામાં આવી. WCL માં ભારતીય ટીમનું નેતૃત્ત્વ યુવરાજ સિંહ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય પ્લેઇંગ ૧૧ માંથી હરભજન સિંહ, યુસુફ પઠાણ, શિખર ધવન અને ઇરફાન પઠાણ મેચમાં નહીં રમવાનો નિર્ણય કરતા મેચ રદ કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે, પાકિસ્તાન સામે મેચનું આયોજન થયું ત્યારે વિરોધ ના કર્યો. અચાનક ભારતીય ક્રિકેટરોનો આત્મા જાગ્યો અને મેચ રદ કરી. આ WCL ના સહ આયોજક અભિનેતા અજય દેવગણ અને ફાઉન્ડર & CEO હર્ષિત તોમર છે.

Published on: 20th July, 2025
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ
Published on: 20th July, 2025
ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે આજે WCL (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ) ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ કરવામાં આવી. WCL માં ભારતીય ટીમનું નેતૃત્ત્વ યુવરાજ સિંહ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય પ્લેઇંગ ૧૧ માંથી હરભજન સિંહ, યુસુફ પઠાણ, શિખર ધવન અને ઇરફાન પઠાણ મેચમાં નહીં રમવાનો નિર્ણય કરતા મેચ રદ કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે, પાકિસ્તાન સામે મેચનું આયોજન થયું ત્યારે વિરોધ ના કર્યો. અચાનક ભારતીય ક્રિકેટરોનો આત્મા જાગ્યો અને મેચ રદ કરી. આ WCL ના સહ આયોજક અભિનેતા અજય દેવગણ અને ફાઉન્ડર & CEO હર્ષિત તોમર છે.
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે તેના CRPF બોયફ્રેન્ડ જવાને ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.

Published on: 19th July, 2025
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા
Published on: 19th July, 2025
કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે તેના CRPF બોયફ્રેન્ડ જવાને ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ

ટેસ્લાએ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ કરી છે. એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિમી સુધી ચાલશે, કિંમત ₹60 લાખથી શરૂ થાય છે. ટેસ્લાએ ભારતમાં પોતાનો પ્રથમ શો રૂમ મુંબઈમાં ચાલુ કર્યો છે, બીજો શો રૂમ દિલ્હીમાં ચાલુ કરવાના વિચારણા હેઠળ છે. કંપનીએ હાલમાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 4,000 ચોરસ ફૂટ રિટેલ જગ્યા માટે 5 વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. ટેસ્લા 5 વર્ષનું કુલ ભાડું રૂપિયા ૨૧૦૦ કરોડ ચૂકવશે.

Published on: 15th July, 2025
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Published on: 15th July, 2025
ટેસ્લાએ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ કરી છે. એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિમી સુધી ચાલશે, કિંમત ₹60 લાખથી શરૂ થાય છે. ટેસ્લાએ ભારતમાં પોતાનો પ્રથમ શો રૂમ મુંબઈમાં ચાલુ કર્યો છે, બીજો શો રૂમ દિલ્હીમાં ચાલુ કરવાના વિચારણા હેઠળ છે. કંપનીએ હાલમાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 4,000 ચોરસ ફૂટ રિટેલ જગ્યા માટે 5 વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. ટેસ્લા 5 વર્ષનું કુલ ભાડું રૂપિયા ૨૧૦૦ કરોડ ચૂકવશે.
રાજ્યમાં IAS અધિકારીઓની બદલી
રાજ્યમાં IAS અધિકારીઓની બદલી

રાજ્યમાં 3 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. IAS સંજય કૌલને GIFT સિટીના MD અને CEO પદે નિયુક્ત કરાયા. IAS કે. એસ. વસાવાને ડાંગના DDO પદે નિયુક્ત કરાયા. IAS સુથાર રાજની નર્મદાના DDO તરીકે નિમણૂક કરાયા છે.

Published on: 15th July, 2025
રાજ્યમાં IAS અધિકારીઓની બદલી
Published on: 15th July, 2025
રાજ્યમાં 3 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. IAS સંજય કૌલને GIFT સિટીના MD અને CEO પદે નિયુક્ત કરાયા. IAS કે. એસ. વસાવાને ડાંગના DDO પદે નિયુક્ત કરાયા. IAS સુથાર રાજની નર્મદાના DDO તરીકે નિમણૂક કરાયા છે.
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.

સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.

Published on: 15th July, 2025
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
Published on: 15th July, 2025
સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.
લંડન સાઉથેન્ડ એરપોર્ટમા ટેકઓફ પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું
લંડન સાઉથેન્ડ એરપોર્ટમા ટેકઓફ પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું

લંડન સાઉથેન્ડ એરપોર્ટમા ટેકઓફ પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન નેધરલેન્ડ્સમાં Zeusch Aviation દ્વારા સંચાલિત હતું. તે રવિવારે ગ્રીસના Athens થી ક્રોએશિયાના Pula ગયું હતું અને પછી Southend ગયું હતું. એરપોર્ટના અહેવાલ મુજબ, તે રવિવારે સાંજે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ પરત ફરવાનું હતું. દુર્ઘટનામાં સામેલ વિમાન બીચક્રાફ્ટ B200 સુપર કિંગ એર હોવાનું કહેવાય છે જે દર્દીઓના પરિવહન માટે તબીબી પ્રણાલીઓથી સજ્જ છે. આ વિમાન 12 મીટર (39 ફૂટ) લાંબુ ટર્બોપ્રોપ વિમાન છે.

Published on: 14th July, 2025
લંડન સાઉથેન્ડ એરપોર્ટમા ટેકઓફ પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું
Published on: 14th July, 2025
લંડન સાઉથેન્ડ એરપોર્ટમા ટેકઓફ પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન નેધરલેન્ડ્સમાં Zeusch Aviation દ્વારા સંચાલિત હતું. તે રવિવારે ગ્રીસના Athens થી ક્રોએશિયાના Pula ગયું હતું અને પછી Southend ગયું હતું. એરપોર્ટના અહેવાલ મુજબ, તે રવિવારે સાંજે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ પરત ફરવાનું હતું. દુર્ઘટનામાં સામેલ વિમાન બીચક્રાફ્ટ B200 સુપર કિંગ એર હોવાનું કહેવાય છે જે દર્દીઓના પરિવહન માટે તબીબી પ્રણાલીઓથી સજ્જ છે. આ વિમાન 12 મીટર (39 ફૂટ) લાંબુ ટર્બોપ્રોપ વિમાન છે.
બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી
બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી

ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે પતિ પારુપલ્લી કશ્યપ સાથે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી. સાઇના અને ભારતના પૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

Published on: 14th July, 2025
બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી
Published on: 14th July, 2025
ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે પતિ પારુપલ્લી કશ્યપ સાથે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી. સાઇના અને ભારતના પૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી

ભારતીય બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે. આ સભ્યો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે ચૂંટાય છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી છે જેમા ઉજ્જવલ નિકમ (26/11 મુંબઈ હુમલા સહિત ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ), સી. સદાનંદન માસ્ટર (કેરળના વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ), હર્ષવર્ધન શ્રૃંગલા (ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ), મીનાક્ષી જૈન (ઇતિહાસકાર અને શિક્ષણવિદ) નો સમાવેશ થાય છે.

Published on: 13th July, 2025
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી
Published on: 13th July, 2025
ભારતીય બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે. આ સભ્યો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે ચૂંટાય છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી છે જેમા ઉજ્જવલ નિકમ (26/11 મુંબઈ હુમલા સહિત ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ), સી. સદાનંદન માસ્ટર (કેરળના વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ), હર્ષવર્ધન શ્રૃંગલા (ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ), મીનાક્ષી જૈન (ઇતિહાસકાર અને શિક્ષણવિદ) નો સમાવેશ થાય છે.
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Published on: 04th July, 2025
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Published on: 04th July, 2025
SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા

Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.

Published on: 04th July, 2025
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Published on: 04th July, 2025
Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ

માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.

Published on: 03rd July, 2025
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ
Published on: 03rd July, 2025
માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.