ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ.
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ.
Published on: 05th May, 2026

ભાવનગરમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. છેલ્લા 16 માસમાં 24366 લોકોને શ્વાન કરડ્યા છે. રોજ સરેરાશ 50થી વધુ લોકોને શ્વાન બટકા ભરે છે. શહેરના બોરતળાવ, વડવા, ઘોઘા જકાતનાકા, સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર, કુંભારવાડા, તખ્તેશ્વર, વાઘાવાડી રોડ, કાળાનાળા, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાની વધી છે.