અમદાવાદના સરખેજમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, 3 ઇજાગ્રસ્ત; પોલીસે તપાસ હાથ ધરી.
અમદાવાદના સરખેજમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, 3 ઇજાગ્રસ્ત; પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 18th March, 2026

અમદાવાદના સરખેજમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા એક યુવકનું મોત થયું, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા. એક્ટિવા પર આવેલા આરોપીઓએ હુમલો કર્યો. મૃતકનું નામ ગણેશ ઠાકોર છે, જેને પેટમાં છરી વાગી હતી. પોલીસે ગુનો નોંધી CCTV અને Human Intelligenceના આધારે તપાસ શરૂ કરી છે. ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ વધુ માહિતી આપી.