વડોદરાના છાણીથી જાંબુઆ સુધી અકસ્માતો રોકવા એન્જિનિયરિંગ સુધારા
વડોદરાના છાણીથી જાંબુઆ સુધી અકસ્માતો રોકવા એન્જિનિયરિંગ સુધારા
Published on: 08th August, 2026

વડોદરાના છાણીથી જાંબુઆ સુધીના NH-48 પર છેલ્લા ત્રણ વર્ષમાં 80 થી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. ટ્રાફિક વિભાગ, RTO અને નેશનલ હાઇવે સત્તામંડળોએ આ વિસ્તારની મુલાકાત લીધી અને 16 થી વધુ એન્જિનિયરિંગ ફેરફારો સૂચવ્યા છે. જેમાં ગોલ્ડન ચોકડી પર જાળી મૂકવી અને જાંબુઆ બ્રિજ નીચે 50 ફૂટ ઊંચો લાઇટ પોલ લગાવવાનો સમાવેશ થાય છે. આ પગલાંનો હેતુ લોકોને સલામત અને ભયમુક્ત મુસાફરી પૂરી પાડવાનો છે.