ભરૂચમાં કેમિકલ વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન અંગે આવેદનપત્ર પાઠવાયું
ભરૂચમાં કેમિકલ વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન અંગે આવેદનપત્ર પાઠવાયું
Published on: 08th August, 2026

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં કિંજલ કેમિકલ કંપનીમાંથી કેમિકલ લીકેજ થતાં કેળના પાકને મોટું નુકસાન થયું હતું. એક માસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂત આગેવાન સંજય દેસાઇ અને અન્ય ખેડૂતોએ ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. કંપની છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે. કેમિકલ યુક્ત પાણીથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. અગાઉ પણ વિવિધ કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી છે.