રાજપીપળામાં હર ઘર તિરંગા અભિયાન અંગે બેઠક યોજાઈ
રાજપીપળામાં હર ઘર તિરંગા અભિયાન અંગે બેઠક યોજાઈ
Published on: 08th August, 2026

રાજપીપળા કમલમ ખાતે હર ઘર તિરંગા - તિરંગા યાત્રા અભિયાનને સફ્ળ બનાવવા માટે જિલ્લા સ્તરની આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી આશિષભાઈ પટેલ, હિતેશભાઈ વસાવા, શ્રાવણભાઈ તડવી, પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી જીતેશભાઈ તડવી, પ્રદેશ યુવા મોરચા મંત્રી આકાશભાઈ તડવી સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ઉપસ્થિત રહ્યા હતાં.