ભરૂચના ઝઘડિયાના વકીલો દ્વારા હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
ભરૂચના ઝઘડિયાના વકીલો દ્વારા હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
Published on: 08th August, 2026

ઝઘડિયા: ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઈલિંગ માટે A-4 સાઈઝના પેપર અને નિર્ધારિત ફોન્ટ, લિપિ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા સહિત રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાળ કરી વિરોધ નોંધાવ્યો. વકીલોએ કોર્ટ સંકુલ બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો.