ભરૂચના ભાડભૂત ગામના માછીમારો બીજા જૂવારમાં માછીમારી કરવા રવાના
ભરૂચના ભાડભૂત ગામના માછીમારો બીજા જૂવારમાં માછીમારી કરવા રવાના
Published on: 08th August, 2026

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના મીઠા પાણીમાં ઈંડા મૂકવા આવતી હિલ્સા મચ્છીના કારણે માછીમારીની સિઝન શરૂ થઈ છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન, માછીમારો નદી અને દરિયાના સંગમ વિસ્તારમાં નાવડીમાં રહી માછીમારી કરે છે. ગયા વર્ષનો જૂવાર સારો રહેતા આ વર્ષે પણ વધુ સારી આવકની આશા છે. કેટલાંક માછીમારો બીજા જૂવારની માછીમારી માટે નીકળી પડ્યા છે, અને સારો ફાલ મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.