ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શપથવિધિ સમારોહ યોજાયો
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શપથવિધિ સમારોહ યોજાયો
Published on: 08th August, 2026

પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં તા.6-8-26 ના રોજ શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિમિત્તે શાળાના ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના નિમણુક પામેલા વિદ્યાર્થીઓના પ્રતિનીધિઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યુ. શૈક્ષણિક વર્ષમાં પસંદગી પામેલા હેડ બોય, હેડ ગર્લ, કેપ્ટન, વાઈસ કેપ્ટન, સ્પોર્ટસ પર્સન, કલ્ચરલ હેડ બોય, ડિલીપ્લીન હેડ બોય જેવા પ્રતિનિધિઓને હાઉસકન્વીનર અને શિક્ષકો દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા.