ગુજ્જુ લવગુરુના બેસણામાં ખજૂરભાઈ
ગુજ્જુ લવગુરુના બેસણામાં ખજૂરભાઈ
Published on: 20th September, 2026

લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'ના માર્ગ અકસ્માતમાં નિધન બાદ, સુઈગામ ખાતે યોજાયેલા તેમના બેસણામાં અનેક ચાહકો અને ક્રિએટરો ઉમટી પડ્યા હતા. ગુજરાતના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પણ પરિવારના દુઃખમાં સહભાગી થયા. તેમણે ગુજ્જુ લવગુરુના અકાળે અવસાન બાદ પરિવારની આર્થિક સ્થિતિ જોઈને પોતાના ખર્ચે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી છે. સાથે જ, પરિવાર માટે ₹2 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવા લોકોને અપીલ કરી છે.