સુરતમાં ગણેશોત્સવમાં શાકભાજીથી બનાવેલ વિશાળ ગણેશ પ્રતિમા
સુરતમાં ગણેશોત્સવમાં શાકભાજીથી બનાવેલ વિશાળ ગણેશ પ્રતિમા
Published on: 20th September, 2026

સુરતમાં ગણેશોત્સવ નિમિત્તે સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. 7 ટન શાકભાજી અને લીલોતરીનો ઉપયોગ કરીને 100 બાય 50 ફૂટની વિશાળ ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે, જે ભારતમાં પ્રથમ વખત શાકભાજીમાંથી બનેલી સૌથી મોટી પ્રતિકૃતિ હોવાનો દાવો છે. આ પ્રતિકૃતિનું વિસર્જન કરવાને બદલે, કાર્યક્રમ બાદ તમામ શાકભાજી અને ઘાસ ગૌમાતાના ચારા માટે અર્પણ કરવામાં આવશે. આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી અને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો છે.