સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઋષિમુનિઓના યજ્ઞ, પરંપરાગત વેશભૂષાના ફ્લોટ્સે આકર્ષણ જગાવ્યું
સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઋષિમુનિઓના યજ્ઞ, પરંપરાગત વેશભૂષાના ફ્લોટ્સે આકર્ષણ જગાવ્યું
Published on: 26th August, 2026

જૂનાગઢમાં સંસ્કૃત ભાષાના ગૌરવ અને મહત્ત્વને ઉજાગર કરતી સંસ્કૃત ગૌરવ યાત્રા તથા સંસ્કૃતોત્સવ યોજાયો. સંસ્કૃતના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના સંદેશ સાથે નીકળેલી આ યાત્રા સંસ્કૃતમય બની હતી. 450થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, સંસ્કૃતમય નારાઓ લગાવ્યા. યાત્રામાં ચારેય વેદો, ઋષિમુનિઓના યજ્ઞ અને પરંપરાગત વેશભૂષા સાથેના ફ્લોટ પ્રદર્શિત કરાયા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.