ગુજરાતની 7 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ
ગુજરાતની 7 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ
Published on: 19th September, 2026

ગુજરાતમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે NCISM દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે હાથ ધરાયેલા કડક ચેકિંગ બાદ નિયમોનું પાલન ન કરતી અને સુવિધાઓનો અભાવ ધરાવતી 7 ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત આ કોલેજોમાં BAMS કોર્સ માટે નવા એડમિશન બંધ થશે. NCISM એક્ટ 2020 ની કલમ 28 અને 29 હેઠળ લેવાયેલા આ પગલાંને કારણે રાજ્યમાં BAMS ની 620 બેઠકો ઘટી જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે.