વડોદરા નજીક અટલાદરા ગામમાં રસ્તાનું ધોવાણ
વડોદરા નજીક અટલાદરા ગામમાં રસ્તાનું ધોવાણ
Published on: 19th September, 2026

વડોદરા નજીક અટલાદરા ગામના મુખ્ય માર્ગ પર નાળા પાસે છેલ્લા ૧૫ દિવસથી રસ્તાનું ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં Vadodara Corporation દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં ન આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના મુખ્ય માર્ગ પરના નાળાના નવીનીકરણની જરૂરિયાત હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે માટીનું ધોવાણ વધી રહ્યું છે, જે અકસ્માતનું કારણ બની શકે છે.