જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત 48 કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત 48 કોલેજોની માન્યતા રદ
Published on: 19th September, 2026

નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે દેશભરમાં 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે, જેમાં જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ અને ગુજરાતની સાત કોલેજોનો સમાવેશ થાય છે. નિયમોના ઉલ્લંઘન અને શૈક્ષણિક ધોરણો જાળવવામાં નિષ્ફળતાને કારણે આ કાર્યવાહી થઈ છે. અનેક કોલેજોમાં 'કાગળ પર' દર્શાવવામાં આવેલી બોગસ ફેકલ્ટીના ટીચર કોડ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રદબાતલને કારણે કુલ 620 BAMS બેઠકોમાં ઘટાડો થયો છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા છે.