સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન બાદ ડૂબ્યા 3 યુવક
સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન બાદ ડૂબ્યા 3 યુવક
Published on: 19th September, 2026

ગાંધીનગર નજીક શાહપુર બ્રિજ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ યુવકો ડૂબી ગયા હતા. નદીના પાણીમાં ન્હાવા ઉતરેલા આ યુવકો અચાનક ઊંડાણમાં ખેંચાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે બે યુવકોને સફળતાપૂર્વક બચાવી લીધા છે, પરંતુ એક યુવક હજુ પણ લાપતા છે. તેની શોધખોળ માટે પ્રયાસો ચાલુ છે.