મોરબીના શિક્ષક ધવલભાઈ ખાંડેકાનો સંસ્કૃત શીખવવાનો ઉમદો પ્રયાસ
મોરબીના શિક્ષક ધવલભાઈ ખાંડેકાનો સંસ્કૃત શીખવવાનો ઉમદો પ્રયાસ
Published on: 19th July, 2026

આજના હાઇટેક યુગમાં જ્યાં અંગ્રેજીનું પ્રભુત્વ વધ્યું છે, ત્યાં મોરબીના એક સંસ્કૃત શિક્ષક, ધવલભાઈ ખાંડેકા, દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા માટે એક ઉત્કૃષ્ટ પહેલ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની ‘શતસુભાષિતપંડિતઃ’ યોજના હેઠળ, તેમણે ઓનલાઈન વર્ગનું આયોજન કર્યું. આ પ્રયાસોને કારણે, માત્ર બે મહિનામાં, 17 લોકોએ સંસ્કૃતના 100 સુભાષિતો કંઠસ્થ કર્યા છે, જે એક પ્રશંસનીય સિદ્ધિ છે. આ પહેલ દ્વારા, સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં રસ જાગૃત થઈ રહ્યો છે.