વડોદરાના યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર
વડોદરાના યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર
Published on: 19th July, 2026

યવતેશ્વર મહાદેવ મંદિરની 2400 કરોડની 41 એકર જમીન પર બૂલડોઝર ફેરવાયું છે. હાઈકોર્ટે રાજવી પરિવારનો દાવો ફગાવી 35 વર્ષ જૂના કેસનો અંત લાવ્યો છે. આ જમીન પર આવેલ રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, 55 દુકાનો, 8 રહેણાક ઇમારતો, 12 ઓરડી અને વાહન શોરૂમ સહિત 100થી વધુ મિલકતો તોડી પાડવામાં આવી છે. લોકોને ઘર ખાલી કરવા સમય અપાયો હતો, પરંતુ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારાઈ છે.