ગાંધીનગરના કંથારપુરાના 500 વર્ષ જૂના ઐતિહાસિક વડને બચાવવા વૈજ્ઞાનિક સારવાર શરૂ
ગાંધીનગરના કંથારપુરાના 500 વર્ષ જૂના ઐતિહાસિક વડને બચાવવા વૈજ્ઞાનિક સારવાર શરૂ
Published on: 19th July, 2026

ગાંધીનગર જિલ્લાના કંથારપુરા ગામમાં આવેલો 500 વર્ષ જૂનો મહાકાળી માતાનો વડ, જે છેલ્લા કેટલાક સમયથી સુકાવા લાગ્યો હતો અને ઉધઈ-ફૂગનો ભોગ બન્યો હતો, તેને હવે વૈજ્ઞાનિક સંરક્ષણ હેઠળ લેવાયો છે. વન વિભાગે નિષ્ણાતોની સલાહ મુજબ આ ઐતિહાસિક વૃક્ષના સંરક્ષણની કામગીરી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં, મુખ્ય થડ અને વડવાઈઓ પર ખાસ દવાઓનો ઉપયોગ કરી જીવાણુઓનો પ્રકોપ નિયંત્રિત કરાયો છે. વૃક્ષની તંદુરસ્તી સુધારવા પોષક તત્વો અપાઈ રહ્યા છે. વડની આસપાસ ઇંટોના પોષણ કુંડ બનાવી ગુણવત્તાયુક્ત માટી અને ખાતર ઉમેરાશે, જેથી નવા મૂળનો વિકાસ સરળ બને.