નડિયાદ મનપા મેયરના વોર્ડમાં ગંદકી અને કાદવ
નડિયાદ મનપા મેયરના વોર્ડમાં ગંદકી અને કાદવ
Published on: 19th July, 2026

નડિયાદ મહાપાલિકાના મેયર મનીષ પટેલના વોર્ડ નં 11ના ઇન્દીરા નગર વિસ્તારમાં રસ્તા પર ચોમાસાના વરસાદી પાણી ભરાવાથી કાદવ કીચડની અસહ્ય ગંદકી સર્જાઇ છે. મુખ્ય માર્ગ પર જામેલા કાદવને કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. બાળકોને શાળાએ જતાં-આવતાં પણ કાદવ ખૂંદવો પડે છે, જેનાથી કપડાં, ચંપલ બગડે છે અને ચામડીના રોગ થવાની ભીતિ વાલીઓને સતાવી રહી છે. મનપા તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માગણી છે.