પોલિટેકનિક કોલેજોના અધ્યાપકો દ્વારા સ્ટાફ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત
પોલિટેકનિક કોલેજોના અધ્યાપકો દ્વારા સ્ટાફ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત
Published on: 19th July, 2026

રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં લાંબા સમયથી વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના ઉકેલ માટે પોલિટેકનિક અધ્યાપક મંડળ (PAM) દ્વારા શિક્ષણમંત્રી, અધિક મુખ્ય સચિવ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરને આવેદનપત્ર અપાયું છે. મંડળના જણાવ્યા મુજબ, 32માંથી 31 પોલિટેકનિક સંસ્થાઓ નિયમિત આચાર્ય વિના ચાલી રહી છે અને વર્ગ-1 થી વર્ગ-4 સુધીની અનેક જગ્યાઓ ખાલી છે. ટેકનિકલ શિક્ષણના વિસ્તરણ અને નવી શાખાઓ માટે પૂરતા સ્ટાફની નિમણૂક અત્યંત આવશ્યક હોવાનું મંડળે જણાવ્યું છે.