જેલની દુનિયામાંથી ખુશી સ્કૂલ પહોંચી, IAS અધિકારીએ બદલ્યું બાળકીનું જીવન
જેલની દુનિયામાંથી ખુશી સ્કૂલ પહોંચી, IAS અધિકારીએ બદલ્યું બાળકીનું જીવન
Published on: 11th August, 2026

6 વર્ષની ખુશીનું બાળપણ બિલાસપુર સેન્ટ્રલ જેલમાં તેના પિતા સાથે વીત્યું, કારણ કે તેની માતાનું અવસાન થયું હતું. જેલની દીવાલો વચ્ચે ઉછરી રહેલી ખુશીના જીવનમાં IAS અધિકારી સંજય કુમાર અલંગે મુલાકાત દરમિયાન પરિવર્તન લાવ્યું. જ્યારે તેમણે ખુશીને પૂછ્યું કે તે જીવનમાં શું કરવા માંગે છે, ત્યારે તેનો જવાબ હતો કે તે સારી સ્કૂલમાં ભણવા માંગે છે. આ નાનકડી ઈચ્છાને ધ્યાનમાં રાખીને, અધિકારીએ ખુશીને જેલમાંથી બહાર કાઢી સ્કૂલમાં ભણાવવાની વ્યવસ્થા કરી. Jain International School એ ખુશીના શિક્ષણ અને રહેવાની જવાબદારી લીધી, આમ જેલની દુનિયામાંથી ખુશીને શિક્ષણની નવી દુનિયા મળી.