ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિશ્વ આદિવાસી દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી
ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિશ્વ આદિવાસી દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી
Published on: 10th August, 2026

ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની સંસ્કૃતિ, કલા, પરંપરા, જ્ઞાન અને અધિકારોને સમર્પિત ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ આદિવાસી સમાજની પરંપરાઓ, સંસ્કૃતિ અને કળાઓ વિશ્વ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. મધુકર પાડવી, પીઠોરા કલાકાર પદ્મશ્રી પરેશભાઈ રાઠવા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.