છોટા ઉદેપુરના નસવાડીની સોડત શાળામાં 4 શિક્ષકો, વિદ્યાર્થીઓ શૂન્ય
છોટા ઉદેપુરના નસવાડીની સોડત શાળામાં 4 શિક્ષકો, વિદ્યાર્થીઓ શૂન્ય
Published on: 18th August, 2026

છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જર્જરિત મકાનને કારણે નસવાડી સ્ટેશન પ્રાથમિક શાળાને સોડત (ચુનાખાણ) પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવી. જોકે, છેલ્લા 10 દિવસથી એક પણ બાળક શાળાએ ન આવતાં 4 શિક્ષકો નવરા બેઠા છે. વાલીઓએ સુરક્ષા અને અંતરને કારણે બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું છે. આ પરિસ્થિતિમાં, જ્યાં 7 શાળાઓ શિક્ષકો વિનાની છે, ત્યાં શિક્ષકોના દુરુપયોગનો આક્ષેપ થઈ રહ્યો છે.