ગુજરાતમાં 11 મુખ્ય 'લાયન કોરિડોર'ની ઓળખ, ગીરથી વિસ્તરશે સિંહોનું કુદરતી ક્ષેત્ર
ગુજરાતમાં 11 મુખ્ય 'લાયન કોરિડોર'ની ઓળખ, ગીરથી વિસ્તરશે સિંહોનું કુદરતી ક્ષેત્ર
Published on: 18th August, 2026

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક સિંહો હવે માત્ર ગીર પૂરતા સીમિત ન રહેતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વિહરી રહ્યા છે. આ સિંહોના કુદરતી વિસ્તાર અને સુરક્ષિત અવરજવરને સુનિશ્ચિત કરવા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) દ્વારા રાજ્યમાં 11 મુખ્ય 'લાયન કોરિડોર'ની ઓળખ કરવામાં આવી છે. આ કોરિડોર ગીરને અન્ય અભયારણ્યો અને વન વિસ્તારો સાથે જોડી, સિંહો અને દીપડા જેવા પ્રાણીઓને સુરક્ષિત રહેઠાણ અને માર્ગ પૂરો પાડશે.