તરઘરા ગામે વાડીમાલિકે વીજ કર્મચારીઓ પર કુહાડીથી હુમલો કરી જીવલેણ ધમકી આપી
તરઘરા ગામે વાડીમાલિકે વીજ કર્મચારીઓ પર કુહાડીથી હુમલો કરી જીવલેણ ધમકી આપી
Published on: 18th September, 2026

ભાવનગર નજીક બોટાદ તાલુકાના તરઘરા ગામે વીજળીના તાર બદલવા ગયેલા ખાનગી કંપનીના ત્રણ કર્મચારીઓ પર વાડીમાલિકે કુહાડીના ઉંધા ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વાડીમાલિકે વીજ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે સુપરવાઈઝરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.