નડિયાદના ઠાસરાના ઓઝરાળામાં પિતાએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
નડિયાદના ઠાસરાના ઓઝરાળામાં પિતાએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
Published on: 30th July, 2026

ઠાસરા તાલુકાના ઓઝરાળા આનંદપુરા વિસ્તારમાં 48 વર્ષીય નીરુબેન પર તેમના પતિ રમેશ પરમારે લોખંડના સળિયા વડે માથામાં ત્રણ ફટકા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના 19-20 જુલાઈ 2026ની રાત્રે બની હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નીરુબેનને ડાકોર સરકારી હોસ્પિટલ બાદ નડિયાદ અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 26 જુલાઈએ તેમનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પિતા રમેશ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે રમેશ છેલ્લા બે વર્ષથી પત્ની પર શક કરતો હતો.