ગુરુપૂર્ણિમાએ તાજપુરા નારાયણ ધામમાં દોઢ લાખ ભક્તો
ગુરુપૂર્ણિમાએ તાજપુરા નારાયણ ધામમાં દોઢ લાખ ભક્તો
Published on: 30th July, 2026

પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે દોઢ લાખથી વધુ ભક્તો દર્શન અને ગુરુ વંદના માટે ઉમટી પડ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભક્તોએ ભક્તિભાવ સાથે પ. પૂ. નારાયણ બાપુની પાદુકા પૂજન, પાલખી યાત્રા અને સમાધિ દર્શન કર્યા. વરસાદ બાદ ખુશનુમા વાતાવરણમાં મહાપ્રસાદનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી. સુરક્ષા માટે 650 પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.