વલસાડના ધરમપુરની નિવૃત્ત શિક્ષિકા સાથે ઠગાઈ
વલસાડના ધરમપુરની નિવૃત્ત શિક્ષિકા સાથે ઠગાઈ
Published on: 18th August, 2026

વલસાડ જિલ્લાના ધરમપુરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષિકા સાથે સામાજિક સંબંધોનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત અને ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાણંદના ચાર શખ્સોએ લગ્ન પ્રસંગમાં શોભા અને માન-સન્માન જાળવવાના બહાને તેમની પાસે 180 તોલા સોનાના દાગીના લીધા હતા. દાગીનાનો મોટો ભાગ, એટલે કે 62 તોલા, પરત ન કરી ફાયનાન્સ કંપનીમાં ગીરો મૂકી લોન લીધી હતી. કોર્ટના આદેશ બાદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.