ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12, FSL રિપોર્ટથી મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12, FSL રિપોર્ટથી મોટા ખુલાસા
Published on: 23rd August, 2026

ભાવનગરમાં નકલી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે. 22 ઓગસ્ટે વધુ 4 લોકોના મોત થયા હતા, જેમાં મહીસાગરના મુકેશ ડામોરનો પણ સમાવેશ થાય છે. ICUમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. FSL રિપોર્ટમાં નકલી દારૂના સેમ્પલમાં 38.59 ટકા મિથેનોલ અને માત્ર 0.94 ટકા ઇથેનોલ મળ્યું છે, જે અત્યંત ઝેરી હોવાથી ગંભીર અસર કરી શકે છે. મિથેનોલના વિતરણ અંગે રાજ્યભરમાં તપાસ હાથ ધરાશે.