સુરત પાલિકાની સીધી ભરતીમાં માજી સૈનિકોને હવે અનામતનો લાભ મળશે
સુરત પાલિકાની સીધી ભરતીમાં માજી સૈનિકોને હવે અનામતનો લાભ મળશે
Published on: 12th August, 2026

સુરત મહાનગરપાલિકામાં સીધી ભરતીથી કાયમી નોકરી મેળવવાની રાહ જોતા માજી સૈનિકો માટે મહત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્ય સરકારની નીતિ મુજબ, હવે સુરત પાલિકામાં પણ માજી સૈનિકોને સીધી ભરતીમાં અનામતનો લાભ મળશે. વર્ગ-1 અને વર્ગ-2માં 1%, વર્ગ-3માં 10% અને વર્ગ-4માં 20% જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત રહેશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે અને મંજૂરી બાદ તેનો અમલ શરૂ થશે.