જામનગરના ઉદ્યોગકારો GST નોટિસોથી ભડક્યા, 'તૈયાર માલ કોને વેચવો?'
જામનગરના ઉદ્યોગકારો GST નોટિસોથી ભડક્યા, 'તૈયાર માલ કોને વેચવો?'
Published on: 30th August, 2026

જામનગરના લઘુ અને મધ્યમ ઉદ્યોગો GST વિભાગ દ્વારા અકારણ નોટિસોથી ત્રસ્ત છે, જેના પગલે ઉદ્યોગકારોએ આક્રમક વલણ અપનાવ્યું છે. કાયદાની ગૂંચવણો દૂર નહીં થાય તો ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં છે. એક વેપારીએ કાયદેસર વેચાણ અને પૂરો ટેક્સ ભરવા છતાં, ખરીદનાર પેઢી બોગસ હોવાનું કહી શો-કોઝ નોટિસ ફટકારાતા રોષ ફેલાયો છે. આ મુદ્દે મળેલી બેઠકમાં ઉદ્યોગકારોએ વેધક સવાલો ઉઠાવ્યા હતા, જેનાથી ધારાસભ્યને પણ ઉદ્યોગકારોને શાંત પાડવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.