IndiGo પણ બંધ કરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેનચેસ્ટર રૂટ પર અસર
IndiGo પણ બંધ કરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેનચેસ્ટર રૂટ પર અસર
Published on: 03rd June, 2026

એર ઇન્ડિયા (Air India) પછી હવે IndiGo એ પણ મોંઘા વિમાન ઇંધણ (ATF) અને હવાઈ ક્ષેત્ર (Airspace) પર લાગેલી પાબંદીઓના કારણે પોતાના મોટા વાઇડ-બોડી (Wide-body) ફ્લાઇટ્સના ઓપરેશન્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ IndiGo 31 ઓગસ્ટ, 2026થી ભારત અને બ્રિટનના મેનચેસ્ટર (Manchester) વચ્ચે ચાલતી તમામ ફ્લાઇટ્સ બંધ કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાગ્યા છે, જેના લીધે ફ્લાઇટ્સને લાંબા માર્ગે જવું પડે છે અને ઇંધણનો વપરાશ વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત $100 પ્રતિ બેરલથી વધુ થવાથી ATF નો ખર્ચ પણ ઘણો વધી ગયો છે.