બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓ મરી ગઈ
બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓ મરી ગઈ
Published on: 02nd March, 2026

અમદાવાદના બાવળા નજીકના કલ્યાણગઢ તળાવમાં હજારો માછલીઓ મૃત મળી આવી, સ્થાનિકોએ ઉદ્યોગોના ઝેરી કચરાના ગેરકાયદેસર નિકાલનો આક્ષેપ કર્યો છે. આ અમદાવાદ ગ્રામ્યમાં માછલીઓના મોતની ચોથી ઘટના છે, જેના કારણે GPCBની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ખેડૂત ઇન્દ્રવદનસિંહે આ ઘટનાની જાણ કરી.