જામનગર-દ્વારકા હાઈવે પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન
જામનગર-દ્વારકા હાઈવે પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન
Published on: 02nd March, 2026

ફુલડોલ મહોત્સવ 2026 માટે જામનગર-દ્વારકા પદયાત્રી માર્ગ પર પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે GPCB અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયું છે. જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિલાયન્સ, નયારા એનર્જી જેવી CSR હેઠળની કંપનીઓ સહયોગ આપશે અને હાઈવે પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાશે જેને સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસિંગ કરવામાં આવશે.