નવસારીના અમલસાડમાં બીજો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત
નવસારીના અમલસાડમાં બીજો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત
Published on: 02nd March, 2026

નવસારીના અમલસાડ વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં તે ફસાયો હતો. એક જ અઠવાડિયામાં બે દીપડા પકડાતા સ્થાનિક ગ્રામજનોને રાહત થઈ છે. હોળી-ધુળેટીના તહેવારો પહેલા વન વિભાગે આ પગલું લીધું. દીપડાઓ ખોરાકની શોધમાં સ્થળાંતર કરી રહ્યા છે.