મહેસાણા મનપા ભંગારમાંથી ઉગારશે હાથલારીઓ
મહેસાણા મનપા ભંગારમાંથી ઉગારશે હાથલારીઓ
Published on: 30th July, 2026

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કચરો એકત્ર કરવા માટે 250 નવી હાથલારીઓ ખરીદવામાં આવી છે. બીજી તરફ, બે વર્ષ પહેલાં ખરીદાયેલી અને ભંગાર હાલતમાં પડેલી હાથલારીઓને નજીવા ખર્ચે મરામત કરીને ફરી ઉપયોગમાં લેવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મરામત લાયક હાથલારીઓ ગેરેજ અને પોલીસ સ્ટેશન નજીક ભંગાર હાલતમાં મળી આવી હતી. હવે તેને ફરી કાર્યરત કરવા માટે સેનિટરી શાખાને સૂચના અપાઈ છે.